SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનું સ્વરૂપ અને ઇન્દ્રિયેના સુખમાં રહેલું પાપ પ૩૯ “સુખનું કારણ ઈન્દ્રિયો, અો વિષયાધીન ! વિષયમાં પાપ ભર્યા, તેથી દુઃખ અસીમ.” તાત્પર્ય એજ છે કે સુખ ભેગવનારને, પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશે વિષય ભેગવાય છે. વિષયો માટે જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, કેધાદિ, આરંભાદિ સેવાય છે. તેથી જ જીવને આઠે કર્મો બંધાય છે. આઠ કર્મો જ જીવને નરકાદિ, ચાર ગતિમાં રખડાવે છે. આ સંસારમાં તીર્થકર, ઇન્દ્રો, ચકવર્તીએ પણ મરણથી બચ્યા નથી. તો પછી બીજા નું તો હવે કહેવું જ શું ? तिथ्यरा गणहारी, सुरवइणो चक्की-केसवा रामा । संग्यिा हयविहिणा, सेस जीवाण कावत्ता ? ।। १॥ અર્થ : તીર્થકર ભગવંતે, ગણધર મહારાજાઓ, ઈન્દ્રો, ચકવત , વાસુદેવ, બલદે આવા મહાપુરુષોને પણ દુષ્ટકાળે (મરણે) છોડ્યા નથી. બીજા જીવોની તે વાત જ શી ? કઈ કવિ “છાયા મીશ કરીએ નિત્ય, છલગ છાને ઓચિંતે એ પકડી જાશે, કાંઈક ચડાવી બાને.” માટે શોકનો ત્યાગ કરે. અને હવે નવાં કર્મ ન બંધાય તેને વિચાર કરીને, શ્રીવીતરાગ જિનેશ્વરદેવોએ બતાવે, અને પાપને જ નાશ કરાવનાર, ધર્મને સમજીને શક્તિ અનુસાર આચરણમાં મૂકે. પ્રશ્ન : રાજા અમરદત્ત પૂછે છે : હે પ્રભુ ! મિત્રાનંદને આત્મા મરીને ક્યાં ઉત્પન્ન થયે છે? તે જ્ઞાન–દિવાકર આપ જરૂર ફરમાવશે. ઉત્તર : ગુરુ કહે છે કે શ્રી મિત્રાનંદને જીવ મરવાના સમયે, તમે બન્ને દંપતી પ્રત્યે પૂજ્ય ભાવને ધારણ કરતો મરીને, આ તારી રત્નમંજરી રાણીની કુક્ષિમાં, પુત્રપણે ઉત્પન્ન થયું છે. પૂર્ણ માસે જન્મશે. કમલગુપ્ત નામ થશે. કુમાર પદવી ભેળવીને રાજા થશે. રાજા પૂછે છે. પ્રશ્ન : મિત્રાનંદને ચૌરની પેઠે, વગર અપરાધે અકાળ મારવામાં કારણ શું? તથા રાણ રત્નમંજરીને મારીનું કલંક કેમ લાગ્યું? અમારા ત્રણને પરસ્પર આટલો સ્નેહ તેનું શું કારણ? ઉત્તર : ગુરુ કહે છે, આ ભવથી પહેલાં, ત્રીજા ભવમાં, એક ગામમાં ક્ષેમંકર નામને ખેડૂત હતો. તેને સત્યશ્રી નામની સુશીલા પત્ની હતી. તેને ઘેર ચંડસેન નામને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy