SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ મ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્વામીનાથ ! આવું ઢાંનું કડું મેં, સુવર્ણ અને રત્નોની પેટીમાં કેમ રાખ્યું હશે ? આપ સમજ્યા? જુઓ, મને બે વાર શરીરમાં મોટા હુમલા આવ્યા. એકવાર મસ્તકમાં મહાવેદના થઈ. એકવાર હિસ્ટિરિયા, મહાવાયુ થયું. તે જ કારણથી મહિનાઓ સુધી મારે આપને વિગ ભગવો પડે. નિર્ભાગ્ય એવી મને આપ સ્વામીનાથની સેવાને પણ લાભ ખવા. પછી તો મહાગુણનિધાન અને પરોપકારિણી, એક ગિની અમારે ઘેર આવી. અને તેણીએ મારા રોગની પરીક્ષા કરીને, આ વલય બનાવી, મંત્રવાસિત કરી, મારી ડોકમાં પહેરાવ્યું, ત્યારથી મારા શરીરના રે ચાલ્યા ગયા છે. શરીરમાં સ્કૂર્તિ, આત્મામાં બુદ્ધિને વિકાસ, અને પ્રત્યેક અંગ પ્રત્યંગમાં, રૂપલાવણ્ય, સૌભાગ્ય ખીલી રહ્યાં છે. વલય બનાવી પહેરાવતાં ગિનીએ કહ્યું હતું કે, હે પુત્રી ! આ વલય તમારી પાસે રહેશે ત્યાં સુધી, તમે બે જણ, પતિ-પત્નિી, રોગ-શેક વિયેગથી મુક્ત રહેશે. માટે જ્યારે તમને પતિ-પત્નીને મેળાપ થાય ત્યારે, તારા પતિ પિતાના હાથમાં, પગમાં કે, ગળામાં આ વલયને, આભૂષણની પેઠે બહુમાનપૂર્વક રાખશે તો, તમારા બંનેની જિંદગી સુખમય પસાર થશે. તેથી હે સ્વામીનાથ! હું આજે જ આ કડું આપને સ્વાધીન કરવા ઈચ્છું છું. હમણાં આપ ખૂબ કીડા કરવાથી થાકી ગયા છે. માટે આપ પુષ્પની શય્યામાં, મારા ખોળામાં મસ્તક મૂકી, ક્ષણવાર વિશ્રામ લ્યા. આપને ક્ષણવાર નિદ્રા આવે તો થાક ઊતરી જાય. પછી આપણે ઠંડા પ્રહરમાં, સિન્ય તૈયાર કરીને પ્રયાણ કરીશું. સુભગાની વાણું અને વર્તનમાં અત્યંત વિશ્વાસી થયેલે હરિવર. કાળી નાગણના કરંડિયા જેવા સુભગાના ખેાળામાં મસ્તક મૂકી સુઈ ગયે. ઘેરવા લાગ્યા. સાન, ભાન, અને જ્ઞાન ત્રણે અદશ્ય થયાં. “શત્ર–ચર ને જારની, સહાયકને સુખકાર | અંધકારની બેનડી, નિદ્રા દેષાગાર.” ૧ “નિશા અને નિદ્રા તણો, ભગિનીસમ વહેવાર જાર ચેર ને શત્રુઓ, પામે લાભ અપાર.” મે ૨ છે હરિવર સુભગાના મેળામાં સૂઈ ગયો. સુભગાએ હાથ, પગ, છાતીએ હાથ ફેરવી, નિશ્ચય કરી, લીધે. અને પછી ઉપર વર્ણન કરાયેલું, ગિનીનું બનાવેલું, કામણગારું, લોઢાનું વલય-કડ, હરિવીરની ડોકમાં, સાવચેતીથી પહેરાવી દીધું. અને સાવચેતીથી પિતાના ખોળામાંથી, હરિવીરનું મસ્તક, પુષ્પની શય્યામાં ગોઠવીને, સુભગા ઊભી થઈ રથ પાસે પહોંચી ગઈ. જ્યાં સંકેત અનુસાર મધુકંઠે રથ જોડી તૈયાર રાખે હતો, તેમાં બેસી ગઈ અને રથના ઘોડા દોડવા લાગ્યા. અહીં હરિવર પણ નિદ્રામાંથી જાગે. અને પોતાને જુએ છે તે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy