________________
૪૫૮
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ
નરસુન્દર રાજાની તૈયારી જોઈને, હરિવર નજીકમાં આવી, પ્રણામ કરી, હાથ જોડી, વિનવવા લાગે. સ્વામિન્ મારા જેવા સેવકેની વિદ્યમાનતામાં, આપ મહાપુરુષને લડાઈ કરવા જવાની વિચારણું પણ શા માટે? આજ્ઞા ફરમા, સેવક જવા તૈયાર છે. સૂર્યના પ્રતાપની સહાયથી, લંગડે પણ સૂર્યને સારથિ અરુણ, જગવ્યાપી અંધકારને નાશ કરી શકે છે.
હરિવરની ભક્તિ અને શક્તિને ધ્યાનમાં લઈને, નરસુન્દર રાજાએ, ઘણું લશ્કર આપી, હરિવીરને રવાના કર્યો. હરિવીર પણ સારા શકુન પામીને, બહુ શિઘ્રતાથી ભગપુર નગરની નજીક પહોંચી ગયે. સૈન્યની વિશાળતા, લડવાની તાકાત, અને યૂહ રચવાની બુદ્ધિથી, હરિવીરે સૂરપાળ રાજાને હરાવ્ય, નાસી ગયે. અને ભેગરાજાએ સૂરપાળને કેટલેક ધનભંડાર અને હાથી-ઘડા વિગેરે લશ્કર કબજે કર્યું. હરિવીરની સહાયથી ભેજરાજાની હાર પણ વિજયમાં ફેરવાઈ ગઈ.
ભંગ રાજાને હરિવીરની સહાયથી જિત મળી. ધન અને લશ્કર મળ્યું. ગયેલી આબરૂ પાછી આવી, તેથી હરિવીરના ઉપકારનો બદલો વાળવા ખૂબ જ તાલાવેલી લાગી. અને સભા બોલાવી, પ્રધાન અને પ્રજા વર્ગની માનવમેદની વચ્ચે, હરિવરના બળ અને શૌર્યનાં ખૂબ જ વખાણ કર્યા. સભાને જણાવ્યું કે હરિવર માટે મારા ચિત્તમાં પ્રકટેલું બહુમાન, મારું રાજ્ય સર્વસ્વ આપી દઉં તે પણ થોડું છે. આવું કહેવા સાથે રાજાએ ઘણું ઝવેરાત–સુવર્ણ-હાથી-ઘડા વિગેરે સારી વસ્તુઓ આપી, સત્કાર કર્યો.
આ વખતે ભોગરાજાનો સેનાધિપતિસુરદત્ત. રાજાની સામે હાથ જોડીને કહેવા લા, સ્વામિન ! મારેતો આજે સેનાના સૂર્યના ઉદય જેવા પ્રસંગે ઉપસ્થિત થયે તે સાંભળો. મારે એકની એક પુત્રી છે. રૂપકલાને અંબાર છે. બુદ્ધિથી સરસ્વતી જેવી છે. વય પામી છે. ઘણા વખતથી યોગ્ય વરની શોધ કરું છું. આજે મને ઘેર બેઠાં, વગર પ્રયાસે, આવો આપ બન્ને રાજાઓની કૃપાનું પાત્ર શૂરવીર–સેનાધિપતિ-પ્રાપ્ત થાય છે.
' હું નમ્ર પ્રાર્થના કરું છું, હરિવીર સેનાધિપ મારી પુત્રીનું પાણિ ગ્રહણ સ્વીકાર કરે. ધેર બેઠા આ જમાઈ કાઈ પુણ્યવાનને મળે છે. સુરદત્તની પ્રાર્થના અને ભેગરાજાને આગ્રહ, તથા હરિવરનું અથાણું, ત્રણેને વેગ મળવાથી, હરિવર સાથે સુભગા કુમારીનાં લગ્ન થયાં. સુરદત્તસેનાધિપે, પુત્રીના કરમેચન વખતે, ઘણું દ્રવ્ય આપ્યું. કેટલાક દિવસો સુધી, હરિવર સાસરાએ આપેલા મહેલમાં, સાસરા અને રાજાના સ્નેહથી ભેગપુરમાં રહ્યો.
કેટલાક કાળ (માસ બે માસ) સાસરાના ગામમાં વસવા પછી, પિતાના નગર જવાની હરિવીર સેનાપતિએ તૈયારી કરી. રાજાની અને સાસરાની રજા મેળવી, પ્રયાણ કરવાના આગલા દિવસે સુભગાને મસ્તકની તીવ્ર વેદના શરૂ થઈ. બહુ આકુલ વ્યાકુલ થઈ ગઈ. માથું કૂટવા લાગી. ઉપચાર ઘણુ કર્યા. ફાયદો ન થયો.
પતિને કહેવા લાગી. હે સ્વામિન! ખરેખર હું ભાગ્યવતી છું. જેને દેવ જેવો