SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના બધા કવિઓ, સિદ્ધસેન દિવાકર પછી જાણવા ૩૬૭ ક્રિવાકરસૂરિમાં કવિત્વ શક્તિ વિગેરે બીજા પણ પ્રભાવક ગુણા ઘણા હતા. તેમનાં ઘેાડાં કવિત્વ=કાન્યા લખુ છું. सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे । નીતિ ત્તિ દુષિતા રાખન, ? ચૈન દેરાસર મતા | || અર્થ : વિક્રમ રાજાને કહે છે કે હે રાજન ? આપની માનીતી ત્રણ દેવીએ છે. તેમાં સરસ્વતીને મુખમાં રાખા છે. લક્ષ્મીને હસ્તકમલ ઉપર બેસાડી છે. તેા પછી કીર્તિને શા માટે કોપાયમાન કરી છે, કે જે આપની કીર્તિ સ્વર્ગ માં, પાતાળમાં કે મનુષ્યલાકમાં જગ્યા જ પામતી નથી. आहते तव निःस्वाने, स्फुटितं रिपुहृद्घटैः । નજિતે તપ્રિયાનેત્રે, રાનમ્ ! વિમિમહત્ ॥ ૨ ॥ અર્થ : હે રાજન્ ! આપના યુદ્ધની ભેરી ઉપર પ્રહાર પડે છે. તેજ ક્ષણે તમારા શત્રુઓના હૃદયરૂપ ઘડાઓ ફૂટી જાય છે. અને તે રાજાએની રાણીઓના ચક્ષુરૂપ ઘડાઓમાંથી પાણી ઢળી જાય છે. આ એક ગજબ આશ્ચર્યની વાત છે. सर्वदा सर्वदासीति मिथ्या संस्तूय से बुधैः । नारयो लेभिरे पृष्ठं न चक्षुः परयोषितः ॥ १ ॥ અર્થ : હે રાજન! તમને પંડિત પુરુષા, સદા સ આપનારા મહાદાનેશ્વરી કહે છે, તે સાચું નથી. અર્થાત્ મિથ્યા છે. કારણ કે, તમારા હજારો શત્રુએ તમારી પુઢ માગે છે. કહે છે કે, અમને પુંઠ બતાવેા. પરંતુ તમે આજ દિવસ સુધી એક પણ શત્રુને, પુઠ બતાવી નથી ( અર્થાત્ સામી છાતીએ લડાઈ આપી છે.) અને કુલટા સ્ત્રીએ તમારુ ચક્ષુ ઈચ્છે છે. કહે છે કે, સ્નેહ નજરથી અમારી સામે જુએ. તે પણ તમે આજ સુધી કાઈ પરસ્ત્રી સામે તાકવા નથી. જોતા નથી. જો શત્રુએ તમારી પુત્ર્ય પામ્યા નથી, પરસ્ત્રીએ તમારું ચક્ષુ-છાતી કે આલિંગન–ચુંબન પામી નથી, તેા પછી તમે જે માગે તેને બધું આપે છે, આવી પ્રશંસા સાચી કેમ કહેવાય ? આ બધા શ્લેાકાનાં વર્ણના મહાપુરુષાની બુદ્ધિના ભંડાર ખુલે। મૂકી જાય છે. સિદ્ધસેન દિવાકર માટે કલિકાલ સર્વ જ્ઞપણુ કહે છે ? વાંચેા. અનુ સિદ્ધસેન વયઃ ઇતિ સિદ્ધહેમ ૨-૨-૩૯ બધાજ કવિએ સિદ્ધસેન દિવાકર પછી જાણવા અર્થાત્ સિદ્ધસેનાચાર્ય મહાકવિ હતા. બધા કવિએ તેમનાથી ન્યૂન જાણવા. સિદ્ધસેનદિવાકરના ઉપદેશથી, વિક્રમરાજાએ એકારનગરમાં ચાર દ્વારવાળુ, ચૌમુખ જિનાલય કરાવી, ઘણું દ્રવ્ય ખર્ચ કરી, પ્રતિષ્ઠા કરાવી હતી. સિદ્ધસેનઢિવાકરના ઉપદેશથી વિક્રમરાજાએ શત્રુ જય તીના સંધ કાઢ્યો હતા. કહેવાય છે કે વિક્રમરાજાના સંઘમાં, પાંચ હજાર–જૈનાચાર્યા હતા. તેા પછી એછામાં ઓછા લાખ જેટલા સાધુઓ પણ હાય. ચારે પ્રકાર સંધ લાખાની સંખ્યામાં હાય, એમ સહજ માની શકાય છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy