SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઇંતિ પ્રભાવકચરિત્ર, વૃદ્ધવાદી પ્રબંધ શ્લા. ૭૦-૭૧-૭૨-૭૩-૭૪ શ્લેાકાના ભાવાથ ઉપર લખાઈ ગયા છે. પ્રશ્ન : વૃદ્ધિવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરનેા સમય, ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણુની પાંચમી સદીના જણાવ્યા છે. અને પુસ્તક લેખનકાળ વી. નિ.-સ’. દશમી સદીના અંત ભાગ નકી છે. તેા પછી ચિત્રકૂટના સ્તંભમાંથી હજારા પુસ્તકા નીકળ્યા તે, કયારનાં, કયા વખતનાં, અને કાણે લખાવેલાં હશે. ઉત્તર : જૈન આગમ દશમી શતાબ્દીમાં લખાયા જાણવાં. પરંતુ આગમે સિવાયના બીજા ઉદ્ધૃત ગ્રન્થા પહેલાં પણ લખાયા હશે. કારણ કે આ બનાવ જેવા અનાવ મલ્લવાદીસૂરિના પ્રસંગમાં પણ બન્યા છે. તેમણે પણ ગુરુની મનાઈ હોવા છતાં, ગુરુની ગેરહાજરીમાં, પાંચમા જ્ઞાન પ્રવાદ પૂર્વમાંથી પૂના મહિષ એ ઉદ્ધેરેલા, નયચક્ર નામના મહાગ્રન્થ વાંચવા શરૂ કરેલા. અને શ્રુતદેવીએ હાથમાંથી પડાવી લીધેા. મદ્યમુનિએ છ ઉપર છડે, નિર્વિગય પારણું, છમાસ માટે તપ કરી, શ્રુતદેવીની આરાધના કરી. શ્રુતદેવીના વચનથી, વાંચેલા એક લેાકના આધારે, દશહજાર Àાક પ્રમાણુ દ્વાદશાર નય ચક્ર નામના ગ્રન્થ મનાવ્યા હતા. આ પ્રમાણે બીજા પણ એક જૈનાચાય મહાપુરુષને, કોઈ દેવે મંત્રા અને આમ્નાયવાળું એક પુસ્તક આપ્યાનું, વર્ણન જાણવા મળે છે. તેથી આગમા સિવાયના પુસ્તકો નવસાતાણું પહેલાં પણ હાવા સંભવ છે. સિદ્ધસેનસૂરિ ભગવંતના ઉપદેશથી કમ્મરનગરના, દેવપાલ રાજા જૈન થયા હતા. તેટલામાં સૂરિ ભગવંતની હાજરીમાંજ, કામરુપદેશના રાજા વિજયવર્મા, મેાટા સૈન્યથી, દેવપાલ રાજાના દેશ ઉપર ચડી આવ્યા. દેવપાલ અલ્પ શક્તિ હેાવાથી ભય પામીને, સૂરિ ભગવંતને, શરણે આવ્યા. આચાર્ય મહારાજે સુવર્ણસિદ્ધ મંત્ર વડે ઇંટોના સમુદાયને સુવર્ણ અનાખ્યું. અને સ`પવિદ્યાથી સ`પેા પાણીમાં નાખી, હથિયારબંધ સુભટો બનાવી, વિજયવર્માને ભગાડી મૂકયા. દેવપાળરાજા અને તેની પ્રજામાં ધર્મ દૃઢતા ખૂબ થઈ. અને દેવપાલ રાજાએ, ગુરુને દિવાકર એવી પદવી આપી. ત્યારથી સિદ્ધસેનદિવાકર એવા નામની જાહેરાત થઈ. પછી તેા રાજાએ ગુરુની ઘણી ભક્તિ કરવા માંડી. ગુરુજીને, પાલખી મેના અને છેવટ હાથી ઉપર પણ બેસાડી રાજસભામાં લાવતા હતા. દેવપાલરાજાની ગાંડી ભક્તિથી, સિદ્ધસેનદિવાકરમાં પ્રમાદના વધારા થવા લાગ્યા. આ સમાચાર, ગુરુશ્રી વૃદ્ધવાદીસૂરિ મહારાજ સુધી પહેાંચી ગયા. અને ગુરુ મહારાજાએ વિચાર કર્યો કે પ્રમાદને ધિક્કાર છે. આવા વિદ્વાન અને શાસ્ત્રાના પારગામી પણ, ભક્તોની ભક્તિમાં ભૂલા પડીને; પ્રમાદમાં ડૂબી જાય ત્યારે, ખિચારા અજ્ઞાની જીવાની તેા વાત શું કરવી ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy