________________
૧૬૭
આચાર્ય પદવીની યોગ્યતાને વિચાર
તેમનું સૌભાગ્ય પણ નવમા વાસુદેવ જેવું જોરદાર હશે. માટે જ તે મહાપુરુષના જીવનચરિત્રનું નામ કાત્યકારે હીરસૌભાગ્ય મહાકાવ્ય રાખ્યું છે. એમના સૌભાગ્યનું વર્ણન, હીરસૌભાગ્યમહાકાવ્ય વિજયપ્રશસ્તિમહાકાવ્ય અને હીરસૂરિમહારાજને રાસ વાંચનાર સમજી શકે છે.
પૂર્વાચાર્યો આચરણ અને જ્ઞાન બન્નેમાં, હીરસૂરિમહારાજ થકી ઘણા આગળ પડતા હશે, હતા. પરંતુ આવા ભીષણકાળમાં, હીરસૂરિમહારાજના સમ્યગદર્શન–જ્ઞાનચારિત્ર સૌભાગ્ય–આદેય-
ચનામ ઘણાં નિર્મળ અને આકર્ષક હતાં. તે તેમના જીવનચરિત્રને જાણનારને અનુભવસિદ્ધ છે.
તે મહાપુરુષને શિષ્ય સમુદાય પણ ઘણો હતો, એટલું જ નહીં, પરંતુ ખૂબ આરાધક હોવા સાથે, વિદ્વાન અને અપ્રમાદી હશે. એના એક બે દાખલા ટાંકું છું. જ્યારે હીરસૂરિ મહારાજ અકબર બાદશાહ પાસેથી વિહાર કરી ગુજરાત બાજુ પધાર્યા, ત્યારે બાદશાહની વિનતિથી શાન્તિચંદ્ર ઉપાધ્યાયને, બાદશાહને ઉપદેશ સંભળાવવા આગ્રા રાખી ગયા હતા.
એકવાર બાદશાહે અટકદેશ ઉપર ચડાઈ કરી ત્યારે, શાન્તિચંદ્રઉપાધ્યાય પણ સાથે ગયા હતા. સંભવ છે કે ઉપાધ્યાયજી મહારાજની વૃદ્ધાવસ્થા હશે. તોપણું સૈન્યના બત્રીસ કેશના એક દિવસના પ્રયાણુમાં, તેઓશ્રી સાથે જ રહ્યા હતા, થાકી ગયા હતા, પગે સોજા આવી ગયા હતા. આ વાતની શહેનશાહને ખબર પડી, ત્યારે ઉપાધ્યાયજીને પાલખી યાને ડાલી વાપરવા આગ્રહ કર્યો હતો, પણ તેમણે શિથિલતાને આદર આપ્યો નહીં. પરંતુ બાદશાહે તેમને હવે મોટો વિહાર કરવાની, નમ્રતાપૂર્વક મનાઈ ફરમાવી.
વાચકે સમજી શકે છે કે વરુણદેવની સાન્નિધ્યવાળા અને ભારત સમ્રાટ અકબરને પ્રતિબોધ કરનારા, મહાપુરુષમાં અપ્રમત્તભાવ અને ત્યાગ નિસ્પૃહતાની પરાકાષ્ટા ઉભરાય છે. આ છે વિજયહીરસૂરિ મહારાજના મહામુનિરાજો પૈકીના, એક જ્ઞાન દર્શન–ચારિત્રની– ત્રિવેણીનું એક મહાતીર્થ.
ઉપાધ્યાય ભાનચંદ્રજી મહારાજ :
શાન્તિચંદ્ર ઉપાધ્યાયજી મહારાજના વિહાર પછી સૂરિમહારાજે મુનિ ભાનુચંદ્રજીને અકબર બાદશાહને ઉપદેશ સંભળાવવા મોકલ્યા હતા. એક વાર બાદશાહ, કાશ્મીર ગયા હતા. કાશ્મીરમાં ઠંડી ખૂબ પડતી હતી. બાદશાહના મહેલની સામે સાવ નજીકમાં મુનિશ્રી ભાનુચંદ્રને ઉતારો મળ્યો હતો. શિયાળાની સખત ઠંડીમાં, ચલપટ્ટા સિવાય કાંઈ પણ વસ્ત્ર એલ્યા સિવાય, પરેઢીએ ધ્યાનમાં ઊભેલા ભાનુચંદ્રજીને બાદશાહે જોયા.
અને બોલાઈ ગયું જૈન મુનિઓ સાચા ગીરાજ છે. મહાત્યાગી છે. શરીરની પણ દરકાર કરતા નથી. કેઈની પાસેથી કશું લેતા નથી. લુગડાં પણ પહેરવાથી વધારે