SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હાવા છતાં, ગુરુદેવે તેમને ૧૬૦૭ માં પન્યાસ પદવી-૧૬૦૮ માં ઉપાધ્યાય પદવી અને ૧૬૧૦ શીરહી નગરમાં સત્તાવીસ વર્ષના યુવાન હિરહ મુનિને આચાર્ય પદવી આપી. ગુરુદેવે હીરસૂરિ નામ આપ્યું. અને ૧૬૨૨માં ગુરુજી સ્વર્ગવાસી થતાં ગચ્છનાયક થયા. હીરસૂરિજી મહારાજ વ્યાકરણ કાવ્ય-કોષ, ન્યાય પ્રકરણ સિદ્ધાંતના પારગામી હતા. છતાં પણ દીક્ષા દિવસથી, ખારેમાસ એકાશણું અને પાંચ વિગયુંના ત્યાગી હતા. નિસ્પૃહતાના ખજાના હતા. મેાટા મેાટા વિદ્વાન શિષ્યા ઘણા હતા, જેમાં સકલચંદ્રજી ઉપા॰ શાન્તિચંદ્રજી ઉપા॰ કલ્યાણવિ. ઉપા॰ વિમલહષ ઉપા૦ સામવિ. ઉપા॰ કીર્તિ વિ. ઉપા॰ સિંહવિમલગણી હીરસૌભાગ્ય–કાવ્યના કર્તા દેવવિમલગણી વિજયપ્રશસ્તિ કાવ્યકર્તા હેમવિજયગણી ભાનુચંદ્ર ઉપા॰ યશેાવિ. ઉપા॰ આવા અનેક વિદ્વાન શિષ્યા ઉપર તેમના પ્રભાવ પડતા હતા. એહજાર પચીસા મુનિરાજોના ગુરુ હતા. અકબર જેવા ભારત સમ્રાટ ઉપર ચારિત્રના પ્રભાવ પાડીને પ્રતિવષ સાડાછમાસ ભારતના બધા દેશેામાં જીવવધ બંધ કરાવ્યા હતા. ફક્ત શહેનશાહ અક્બરજ તેમના ભક્ત હતા એટલું જ નહીં, તેના પુત્ર જહાંગીરને પણ હીરસૂરિજી મહારાજ અને તેમના પટ્ટધર, સેનસૂરિ મહારાજ પ્રત્યે ખૂબ બહુમાન હતું. અને અકબરે હિરસૂરિ મહારાજને આપેલાં અમારીનાં ફરમાનેા જહાંગીરે તાજા બનાવી આપ્યાં હતાં. જહાંગીરના પુત્ર શાહજહાં થયા. તેનામાં પણ પિતા-પ્રપિતાના, જૈનસાધુઓને, માનવા સાંભળવાનો સંસ્કાર આવ્યા હતા. એ બધાં, વિજય હીરસૂરિ મહારાજે વાવેલાં બીજોનાં જ ફળ હતાં, એટલું જ નહીં પરંતુ હીરસૂરિમહારાજ જ્યાં જ્યાં પધાર્યાં, ત્યાં ત્યાં અકબરના સુબાએએ પણ, અકબર-સમ્રાટ જેટલું કે વધારે, સૂરિભગવંતનું બહુમાન– સન્માન કર્યું હતું. હીરસૂરિ મહારાજના શ્રાવક ભક્તો પણ લાખાની સંખ્યામાં હતા. અને સૂરિ મહારાજને આ કાળના ગણધર ભગવત જેટલું માન આપતા હતા. સૂરિભગવંતના ગુણગાન વખાણ કરનારા યાચાને, શ્રાવકા એકસાથે હજારના દાન પણ આપી દેતા હતા, તાપણ તે મહાપુરુષે છપ્પન્ન વ દીક્ષા પર્યાયમાં, ચાર ક્રોડ સ્વાધ્યાય કયું" હતુ. તેની હમ્મેશની સરેરાશ કાઢીએ તેા લગભગ બે હજાર આવે છે. હીરસૂરિ મહારાજને તપ : અમ ૮૧ ઈંડ ૨૨૫ ચેાથભક્ત ૩૬૦૦ નીવિચાથ ભક્ત.વીસ સ્થાનક તપ ૨૦૦૦ ૪૦૦ જેમાં ઉપવાસ, આયંબીલ એકાશણાં, ગુરુ આરાધન તપ તેર માસ અને ફક્ત એકાશણું આખી જિંદગી. સૂરિમંત્રની આરાધના } ત્રણ માસ જ્ઞાન–દન–ચારિત્ર-તપ ૧૧ માસ આય ખીલ ૨૪૦૦
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy