SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો આટલી રકમ પ્રોત્સાહનરૂપે આપે છે. ગર્ભપાતના કિસ્સામાં કેટલીક કન્યાઓ અને માતાઓ અજ્ઞાનવશ જાણી જોઈને ખોટી માહિતી આપે છે અને તે કહે છે કે તે કરતાં બાળક વધુ પરિપકવ નીકળે છે. કેટલાક કેસોમાં બાળક મરવાની ના જ પાડે છે. અને કોઈ દયાળુ આત્મા તેને દત્તક પણ લઈ લે છે. એકવખત એકપરિપકવ ગર્ભનું મસ્તક જ ચુસણ પદ્ધતિમાં અલગ થઈ ગયું, અને બાકીનું ધડ શ્વાસ લેવા અડધા કલાક સુધી હવાતિયા મારતું રહ્યું.દિવસને અંતે ઓપરેશન થિયેટરનો તમામ માનવ એઠવાડ ઊભરાતી બાલદીઓ, મૃત્યુ પામેલા અને કળવળતાં મનુસંતાનોને દાટી દેવામાં આવે છે, અથવા ભઠ્ઠીમાં નાંખીને બાળી દેવામાં આવે છે. જેથી સામાન્ય નાગરિકોને આ લીલા કદી નજરે ચઢતી નથી. પ્રચાર જળઃ “બોલે તેના બોર વેચાય” એવા જાહેરાતના આ જમાનામાં સરકાર લોકોનેફસાવવા માટે લોભામણા સૂત્રોચિતરે છે. “પ્રસુતિનિવારણ એ સ્ત્રીનો અધિકાર છે.” આ સૂત્ર વાંચીને કોઈ બિનઅનુભવી મહિલા કુટુંબ કલ્યાણ કેન્દ્રની મુલાકાતે જાય તો તેમને ગર્ભપાતની સલાહ આપવામાં આવે છે. સલાહ આપનાર પોતે અથવા તેની સાંકળમાંનો દેહસૃષ્ટિ કોઈ બીજો જણ મોટીવેટર હોય છે જે મોટી સંખ્યામાં મહિલાને ગર્ભપાત માટે તૈયાર કરવામાં પાવરધા હોય છે. તેઓ સગર્ભા સ્ત્રીને અનેક રીતે સમજાવે છે કે તમને બાળકની હમણાં જરૂર નથી, તમારુંયૌવન, તમારું સૌંદર્ય, તમારી સૃષ્ટિ તમારે અકબંધ રાખવી હોય તો ગર્ભપાત કરાવી નાંખો. તમારે નોકરી કરવી છે, તમારે પતિને કંપની આપવી છે, તમારે વિદેશ જવું છે, તમારે મોજમજા કરવી છે બાળક તેમાં બાધક બનશે. પાંચ - દસ વર્ષથોભી જાવ હમણાં ગર્ભપાત કરાવી નાંખો. એબોર્શન હવે કાયદાની દૃષ્ટિએ માન્ય છે. તેમાં કંઈ વાંધો આવતો નથી. તકલીફ થતી નથી ઉપરથી રૂપિયા મળે છે. નોકરી કરતા હો તો ચાલુ પગારે || 39s ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy