________________
અહીંથી થોડે દૂર એક પ્રાકૃત ભાષાની સંસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં જૈન ધર્મ વિશે અને પ્રાકૃત ભાષા જે તે સમયની ઉત્તરભારતની લોકભાષા હતી તેનું સંશોધન કરવા માટે અભ્યાસીઓ આવે છે.
આમ બે મહાન આત્માઓના પગલાંથી પુનિત થયેલ વૈશાલી આજે કેવળ બે ધર્મના અનુયાયીઓનું યાત્રાધામ રહ્યું નથી પણ તે ઈતિહાસ વેત્તાઓ માટે અને ભૂતકાળમાં ડોકિયું કરીને સંશોધન કરતા સંશોધકો માટેનું એક સ્થળ બની ગયું છે.
બિહાર સરકારે, તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પટણાથી વૈશાલી સુધી અને અંદર જુદા જુદા ઐતિહાસિક સ્થળોએ જવા માટે, સડક અને રસ્તાઓ બનાવ્યા છે. પર્યટકોને રહેવા માટે એક પર્યટક ભવન પણ બંધાવ્યું છે અને પર્યટકોને માર્ગદર્શન મળે તે માટે પર્યટક માહિતી કેન્દ્ર પણ ખોલ્યું છે. આ ઉપરાંત અહીં એક જૈન ધર્મશાળા પણ છે.
અહીંયા થોડા થોડા અંતરે એક જૈન મંદિર, બાવન પોખાર મંદિર, હરિકોટા મંદિર, મિરાનજીની દરગાહ વગેરે આવેલાં છે.
બાવન પોખાર મંદિરમાં ઘણા હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ છે. અહીં નાના નાના બાવન કૂવા હતા જેથી તેને બાવન પોખાર કહેવામાં આવે છે.
મિરાનજીની દરગાહમાં એક ફકીર શેખ મહમદ કાઝીમના અવશેષો
આ જગાએથી દૂર પૂર્વથી પશ્ચિમ સુધી એક કિલોમીટરના ક્ષેત્રફળવાળું એક કમળ તળાવ છે. તે લિચ્છવી જાતિના લોકોનું સહેલગાહ કરવા માટેનું સ્થળ હતું તેમ કહેવાય છે.
આજે વૈશાલી એક નાનું ગામ છે. પણ તેનું કુદરતી દ્રશ્ય રળિયામણું છે. તેની ચારે બાજુ કેળનાં ઝાડ અને આમ્રકુંજો છે. સપાટ પ્રદેશમાં ચોખાનાં ખેતરો છે. વૈશાલી ગંદક નદીના ડાબી બાજુના કિનારે વસેલું છે.
રામાયણમાં પરાક્રમી રાજા વિશાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને અહીં રાજ્ય કર્યું હતું. પાટલીપુત્ર જ્યારે મૌર્ય અને ગુપ્તવંશના
S ૧૫૭ SSSSSS