________________
રાજા અને તેમનો પરાક્રમી પુત્ર જરાસંધ થયો. માતાનું નામ પદ્માવતી હતું. ગર્ભકાળમાં તેઓ મુનિઓની જેમ વ્રતધારી યાને સુવ્રતા રહ્યાં હતાં એટલે પુત્રનું નામ મુનિસુવ્રત પાડવામાં આવ્યું હતું.
મુનિ સુવ્રતની યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં પિતાએ પ્રભાવતી વગેરે ઘણી કન્યાઓ સાથે મુનિ સુવ્રતનાં લગ્ન કર્યાં. મુનિ સુવ્રતને પ્રભાવતીથી સુવ્રત નામના પુત્રનો જન્મ થયો.
આ પછી રાજા સુમિત્રે દીક્ષા લઈ સાધુપણું અંગીકાર કર્યું અને રાજ્યનો કારભાર મુનિ સુવ્રતને સોંપ્યો. મુનિ સુવ્રતે ધણાં વર્ષો રાજ્ય કરી સંસારનાં સુખ ભોગવી એક દિવસ સંસારને અસાર સમજી ફાગણ સુદ ૧૨ના રોજ નિલગુહા ઉદ્યાનમાં દીક્ષા અંગીકાર કરી સાધુપણું ગ્રહણ કર્યું.
ઘણો સમય વિહાર કરી, ફરતાં ફરતાં એજ ઉદ્યાનમાં આવ્યા અને ચંપાવૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા ત્યારે મહા વદ ૧૨ના રોજ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
અર્હદાસ નામના કવિએ ત્રીજી સદીમાં મુનિસુવ્રત સ્વામી ઉપર એક કાવ્ય લખ્યું છે.તેમાં તેમને રાજગૃહી નગરીનું, વર્ણન કરતાં લખ્યું છે કે મગધ દેશમાં આવેલી રાજગૃહી નગરી, તેમાં આવેલા વિશાળ બગીચાઓથી સુશોભિત હતી. તેના બહારના ઉપવનો, અનેક લતાઓને કારણે શોભાયમાન લાગતાં હતાં. અહીં પર્વતની ટોચ પરથી વહેતી જલધારાઓ સુંદર સ્ત્રીઓના સતત સ્નાન કરવાને લીધે સિંદૂર યુક્ત દેખાતી હતી. નગરની બહાર આવેલાં વિશાળ મેદાન અશ્વારોહીઓના ચાલવાથી, મદોન્મત્ત હાથીઓ અને યોદ્ધાઓની શસ્ત્રાસ્ત્ર તાલીમ અને સુભટોના મલ્લ યુદ્ધથી શોભાયમાન રહેતા હતા. આ નગરીની ચારે બાજુની દીવાલોના કળશ એટલા ઊંચા હતા કે દેવાંગનાઓ ભ્રમમાં પડી તેને સુવર્ણ કળશ સમજી લેવા આવતી. આ નગરીઓના ઊંચા ઊંચા ઝરૂખાઓ ૫૨ની રંગીન ધજાઓ અને તોરણો આકાશને અડતા હતા અને ઈન્દ્ર ધનુષ્યનું દ્રશ્ય ખડું કરતા હતા. ઈન્દ્ર કાન્તમણિથી બનેલા મકાનોનું
૧૪૦