________________
તેજ ચંદ્રના પ્રકાશને લીધે ક્રીડાસક્ત અપ્સરાઓને દિવ્ય સરોવરની ભ્રાંતિ ઊભી કરતું હતું. અહીંયાંના સુંદર જીનાલયો કુદરતી જિનાલયોની શોભાને ઝાંખાં પાડતાં હતાં. આ નગરીનો શાસક સર્વગુણ સંપન્ન, ધન ધાન્યથી યુક્ત, વિદ્વાન, પ્રજાવત્સલ, અને ન્યાયી હતો. શુભચંદ્ર દેવે ઐણિક ચરિત્રમાં આ નગરનું વર્ણન કરતા લખ્યું છે કે "આ નગરમાં ન તો અજ્ઞાની મનુષ્ય છે, ન તો શીલ રહિત સ્ત્રીઓ. અહીંના પુરુષો કુબેર જેવો વૈભવ ધરાવતા અને સ્ત્રીઓ દેવાંગના જેવી દિવ્ય છે. વળી અહીંના મનુષ્યો જ્ઞાની અને વિવેકી હતા. પૂજા કરવા અને દાન આપવા સદાય તત્પર રહેતા. તેમની કલા, શિલ્પ વગેરે અતૂલનીય હતાં. જિન મંદિરો અને રાજમહેલોમાં સર્વત્ર જય જય કારના ઘોષ સંભળાતા રહેતા.”
એક સમયે તે રાજા જરાસંધની રાજધાની હતી. એવી દંતકથા છે કે જરાસંઘ બે માતાઓથી જન્મ્યો હતો એટલે તેના શરીરના બે ભાગ કરીને જ તેને મારી શકાય. જરાસંઘ તે જમાનામાં સૌથી શક્તિશાળી રાજા
તા. તેને અસ્તિ અને પ્રસ્તિ નામે બે પુત્રીઓ હતી. મથુરા સાથે સંધિ કરવા તેને તેની બે પુત્રીઓને ત્યારના મથુરાના રાજા કંસની સાથે પરણાવી હતી. કંસ પણ પરાક્રમી રાજા હતો પણ ધણો દુરાચારી હતો. તે શ્રીકૃષ્ણ ભગવાનનો મામો હતો. શ્રીકૃષ્ણ કંસને મારી નાખ્યો, બાદ જરાસંઘે શ્રીકૃષ્ણના જાતિ બંધુઓનો વિનાશ કરવા ઘણા હુમલા કર્યા હતા, પણ દરેક વખતે તેને હાર ખાવી પડી હતી. છેવટે એનો વિનાશ કરવા, શ્રીકૃષ્ણ, પાંડવબંધુઓ ભીમ અને અર્જુનને લઈ ગિબ્રિજ ગયા અને ભીમની જરાસંઘ સાથે કુસ્તી યોજી, શ્રીકૃષ્ણની સૂચના મુજબ ભીમે કસ્તી કરતી વખતે જરાસંઘની જાંઘ પકડીને તેને બે ભાગમાં ચીરી નાખ્યો હતો.
ગૌતમ બુદ્ધના સમયમાં રાજગૃહ મગધ દેશના રાજ બિંબિસારની રાજધાની હતી. બિંબિસાર ગૌતમ બુદ્ધના પ્રશંસક અને અનુયાયી હતા. તેમની વૃદ્ધાવસ્થામાં તેમના પુત્ર અને ઉત્તરાધિકારી અજાતશત્રુએ તેમને કેદમાં પૂર્યા હતા, જે કે પાછળથી અજાતશત્રુએ પણ બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો હતો. જે સ્થળે બિંબિસારને જેલમાં પૂર્યા હતા તેનાં અવશેષો આજે મળી આવ્યાં છે. અહીંથી ગૃધકુટ ટેકરી જ્યાં ગૌતમબુદ્ધ ધ્યાનમાં બેસતા તે જોઈ
SSSSSSS ૧૪૧