________________
શ્રી પાવાપુરી તીર્થ
ભગવાન મહાવીરે તેમના જીવનના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. અહીંજ તેમણે અંતિમ ઉપદેશ આપ્યો હતો અને અહીંજ તેઓ નિર્વાણ પામ્યા હતા. જ્યાં તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં એક જલમંદિર બાંધવામાં આવ્યું છે તે જલમંદિરનું નિકટનું દ્દશ્ય.
શ્રી રાજગિરિ : રાજગૃહી તીર્થ
શ્રી રાજગિરિ અર્થાત્ રાજગૃહીની મહત્તા અને પવિત્રતા ગૌતમ બુધ્ધ અને મહાવીર સ્વામીની સ્મૃતિઓ સાથે જોડાયેલી હોવાથી અકબંધ રહી છે. મહાવીર સ્વામીએ અહીં અને નાલંદામાં જીંદગીના ચૌદ વર્ષ અભ્યાસ અને ધ્યાનમાં વીતાવીને ઉપદેશ આપ્યો હતો.