SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વના પુણ્યયોગે જ કહો શાસ્ત્રવાચન કરીને આ યુવાને કેટલો વિકાસ કર્યો. દીક્ષા-સંયમ પ્રભુની આજ્ઞા પ્રમાણે સમિતિ ગુપ્તિને સમજીને પાળે. દેહભાવ તો અતિ ગૌણ કર્યો હતો. દેહ અને આત્માની ભિન્નતાનું ભાન થયું. ભેદજ્ઞાન પામ્યો. અનુકૂળતા પ્રતિકૂળતાનો તેને ભેદ ન હતો. તેની આત્મભાવના દઢ હતી. તે જડ ચૈતન્યના ભેદને સમજી ગયો હતો. જીવન સાર્થક કર્યું. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો. જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર છે. ૬૧. તપ એ દેહદમન નથી , વૈજ્ઞાનિક યુગથી પ્રભાવિત માનવી તપનું મહાભ્ય નહિ સમજે કે નહિ સ્વીકારી શકે. દેહનો નેહ કર્મબંધનો પાયો છે. કર્મબંધ ચારગતિ પરિભ્રમણના દુઃખનું કારણ છે. હા, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ વાળાને ચારગતિ અને પુનઃજન્મ મરણની વાત નહિ સમજાય. ભલે એ સમજાય કે ના સમજાય પણ જેમ લીમડો કયારેય ગળ્યો થવાનો નથી. સાકર કડવી થવાની નથી. ધારોકે એ થાય પણ આ સર્વજ્ઞના કથન તો સાચા જ રહેવાના છે. દેહના નેહ ને કારણે અન્ય માયા કપટ થતા રહેવાના છે. દેહનો મોહ છોડવા તપની વિશિષ્ટતા બતાવી. આ કાળના સાધકો સહેજે કરે છે. પૂનાના રહેવાસી એ બહેન ગુરુ આજ્ઞાવંત હતા તેથી તેમની કૃપા પણ હતી. કૃપા પ્રસાદે તેમણે તપસ્યા કરી તે નીચે મુજબ છે. ૪ માસી, અઢી માસી, દોઢ માસી, માસ ક્ષમણ-૨, ૧૬ શ્રેણિતપ, સિદ્ધિ તપ, કંઠા ભરણ તપ, ચત્તારી અઠદસદોય, વર્ષીતપ ૧, છઠ્ઠથી ૧, અઠ્ઠમથી ૧, વાસ સ્થાનકની ઓળી ઉપવાસથી, છઠ્ઠથી, અઠ્ઠમથી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૦૭
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy