SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦-ખમાસમાણના-૧૦-દુહાઓ અર્થ સાથે જલ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦૮-ખમાસમણના ૧૦-દુહાઓ અર્થ સાથે. આદીશ્વર–અજર-અમર, અવ્યાબાધ અહનીશ; પરમાતમ-પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. -ખ-૧ જ્યાં ઘડપણ નથી–જ્યાં મરણ પણ નથી, જ્યાં હંમેશાં ઓછું ન થાય એવું સુખ છે. જ્યાં શ્રેષ્ઠ આત્મિક્તા અને પરમ ઐશ્વર્ય છે. આવું જે પ્રભુની આરાધનાથી મળે છે.તેવા મુનિના ઈશ શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરું છું. " જય જગતપતિ જ્ઞાન ભાણ, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક. -ખ-- જ્ઞાનમાં સૂર્ય જેવા, લોક અને પરલોકને દેખાડનાર, શુદ્ધ સ્વરૂપવાલા, આત્મસમાધિમય, વળી જેઓને દેવ અને દાનવોનો સમૂહ નમ્યો છે જેને એવા જગતના પિતા (આદીશ્વર) તમે ય પામો. શ્રી સિદ્ધાચલ મણો, નાભિ નરેસર નં; મિથ્થામતિ મત ભંજણો, ભવિ કુમુદાકર ચંદ. -ખ-૩ નાભિરાજાના નંદન – મિથ્યાત્વીના મતનું ખંડન કરનાર – ભવ્યજીવરૂપી કુમુદના સમૂહને વિકસાવવામાં ચંદ્ર જેવા, શ્રી સિદ્ધાચલની શોભારૂપ– શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર થાઓ. પૂર્વ નવ્વાણું જશ સિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે ભકતે જોડી હાથ. –ખ-૪ જે શ્રી સિદ્ધાચલ ગિરિરાજના શિખર ઉપર શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવ્વાણુંવાર સમવસર્યા છે. તે સિદ્ધાચલ ગિરિરાજને ભક્તિથી હાથ જોડીને નમસ્કાર કરીએ.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy