________________
શ્રી શત્રુંજયગિરિનાં - ૨૧- નામના દુહાઓ
૭૫
શ્રી શત્રુંજયગિરિનાં-ર૧- નામના- દુહાઓ.
Ssssssss
૧ – પુંડરીકગિરિ :-
શ્રી શત્રુંજય તીર્થમાં, આદીશ્વર ભગવાન,
નમતાં પુણ્ય વધે ઘણું તેને મુજ બ્રેડ પ્રણામ;
પુંડરીક મુગતે ગયા, પાંચ ક્રોડ મુનિ સાથ;
પુંડરીકગિરિ નમું સ્વર્ગ ભુવન સાક્ષાત
૨ –સિદ્ધક્ષેત્ર :
સિમિળે આત્મા તણે, શાસ્ત્ર વદે સાક્ષાત
સિદ્ધક્ષેત્ર તેથી થયું, નામ જગત પ્રખ્યાત.
૩ –વિમલાચલ :
વિમલ શુદ્ધ સહુ થાય જયાં, પાપ તણો નહિ લેશ,
વિમલાચલ પ્રખ્યાત છે, નામ પ્રસિદ્ધ વિશેષ,
૪ સુરગિરિ :
સુરવર ઈન્દ્રને અપ્સરા, પ્રભુ ભક્તિ કરે નિત્ય
સુરગિરિ જાણો એહ છે, સુરવાસો છે સત્ય,
૫ –મહાગિરિ :
મહામુનિ કેઈ પામિયા, પરમ મુક્તિનો વાસ, મહાગિરિ તેથી થયું નામ અપૂર્વ નિવાસ. પુણ્યનો રાશિ વધે જિહાં, પાપી હોય પુણ્યવંત; પુણ્યરાશિ તેથી કહે, સજજન–સંત- મહંત,
૬ –પુણ્યરાશિ :
૭ –શ્રીપદ :
મોક્ષ શ્રી ઈહાં મેળવે કઈક સાધુ અનંત,
શ્રીપદ તેહથી નામ છે. જગમાં માન્ય મહેત;