SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુહૂર્તમાલ પૂરો થયે છતે, નવા ઉત્પન્ન ન થાય તેવો કોઈ કાળ આવી જાય છે. તે વખતે એક પણ હોય નહિ, માટે ઘટે છે, એમ નીવર મા ચામાં કહ્યું છે. ૨-૧૯૮૫ પ્રશ્ન: શુલ્લભવના વિચારમાં ૨૫૬ આવલીકાઓએ, અને ૩૭૭૩ અંશોએ, એક ક્ષુલ્લક બતાવ્યો છે. અને એક આવલીકાના ૩૭૭૩ અંશો બતાવ્યા. તો આ બે ઠેકાણે બતાવેલ ૩૭૭૩ અંશોનું કાળમાન કેટલું જાણવું? ઉત્તર:–આવતીકાએ માપેલ મુલકભવના વિચારમાં શ્વાસોચ્છવાસ અને મુહૂર્તાદિકમાં લકભવો અને આવલિકાઓની સંખ્યા કરવાને ઈશ્કેલી છે, અને ૩૭૭૩ શ્વાસોચ્છવાસે એક મુહૂર્ત થાય છે, તેથી ગણતરીની સુલભતાને માટે ૩૭૭૩નો ભાજક રાશિ કલ્પી કાઢયો છે, હવે તે બંય ઠેકાણાના અંશોનું કાળમાન જુદું છે. આવલીકાના ૩૭૭૩ અંશોનું કાળમાન અસંખ્યાતા સમય છે, અને યુદ્ધકભવના ૩૭૭૩ અંશોનું કાળમાન ૨૫૬ આવલીકા છે. કેમકે-૨૫૬ આવતીકાએ એક શુદ્ધકભવ થાય છે. ૨-૧૯૯૫ પ્રશ્ન: વીરભગવંતનું ૭૨ વર્ષનું આયુષ્ય કહેલું છે, તે જન્મદિવસથી? કે ગર્ભની ઉત્પત્તિથી? કેમકે તેનો વિચાર કરતાં મેળ ખાતો નથી, માટે કેવી રીતે છે? ઉત્તર:-જન્મોતરી (= જન્મકુંડલી) વિગેરેની અપેક્ષાએ તો જન્મથી છે, પણ પરમાર્થથી તો ગર્ભની ઉત્પત્તિથી ગણાય છે. બતાવેલ ૭૨ના આંકમાં તો ન્યૂન અથવા અધિક માસ દિવસોની વિવક્ષા કરી નથી, તેથી વિસંવાદ આવતો નથી. ર-૨૦Oા પ્રશ્ન: અણાહારી વસ્તુઓમાં લિંબડા વિગેરેને ગણાવ્યા છે. તો લીલું હોવા છતાં તે અણાહારીમાં લેવું ? કે નહિં? ઉત્તર:–અણાહારીમાં લીલા લિંબડા વિગેરે પણ કહ્યું છે.ર-૨૦૧૫ પ્રશ્ન: વડ, આકડા, પંચાંગુળના (મોટા) પાંદડાંઓ તોડેલાં હોય કે પોતાની મેલે ખરી પડેલાં હોય, તે મુહૂર્ત પછી અચિત્ત થાય? કે નહિ?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy