SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ઉત્તર:-વિંદનિ મિત્કાર્યામિ નાથબં નવ-વિષ્યન-“ડીટીહ કરમાઇ જાય, ત્યારે તે પાંદડાં જવરહિત જાણવાં.” આ વચનથી તોડેલાં હોય, કે સ્વયં પડી ગયાં હોય, તે પાંદડાં અચિત્ત થાય છે, પરંતુ કાળનિયમ બતાવ્યો નથી. ૨-૨૦૨ પ્રશ્ન: મને મદુ મંગિ, નવનિ વડWS/ उप्पजंति असंखा, तव्वण्णा तत्थ जंतुणो॥१॥ “મદિરા, મધ, માંસ અને માખણમાં અસંખ્યાતા જીવો તે વર્ણવાળા ઉપજે છે,” આ ચારમાં જે જીવો ઉપજે તે કેટલી ઇંદ્રિયવાળા હોય? ઉત્તર:-મદિરા, મધ અને માખણમાં બેઈદ્રિય જીવો ઉપજે, અને માંસમાં બાદરનિગોદ રૂપ એકેન્દ્રિયો અને બેઇજિયો ઉપજે, અને મનુષ્ય માંસમાં તો બાદરનિગોદ એકેન્દ્રિયો અને બેઈન્દ્રિયો અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉપજે છે, એમ શાસ્ત્રવચન મુજબ સંભવે છે. ૨-૨૦૩ પ્રશ્ન: માંસના અધિકારમાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે માંસમાં તરતજ સંમૂર્ણિમ અનન્ત જીવો ઉપજે છે, તો તે અનન્ત જીવો કયા? ઉત્તર:- નિગોદજીવો અનન્તા ઉપજે એમ યોગશાસ્ત્રમાં કહેલું છે. ૨-૨૦૪ પ્રશ્ન: સંસનીય-સંપાd Mાના નિશિ મોનનં. રાત્રે જીવ સમૂહના સંસર્ગવાળું ભોજન કરનારા મૂઢો રાક્ષસો થકી અધિક કેમ ન ગણાય? આ શ્લોકથી કેટલાકો ચારે આહારોને સરખા જીવ સંસર્ગવાળા કહે છે, પરંતુ આમાં કોઇ ફેરફાર હોય? કે નહિ? ઉત્તર:-જીવોનું ઉપજવું ચારે આહારોમાં પણ સરખું હોતું નથી. ર-૨૦પા પ્રશ્ન: પૌષધ ઉચ્ચરવાના પાઠમાં ફેલગો એ પદ આહારપૌષધમાં જ બોલાય છે, પણ શરીરસત્કાર વિગેરેમાં બોલાતું નથી, તેથી પોતાના શરીરનું વૈયાવચ્ચ, વિલેપન આદિ પોતે કરવું, કે બીજા પાસે કરાવવું કલ્પ? - કે નહિ? ઉત્તર:-પોસાતીઓને કારણ સિવાય વિલેપન વિગેરે પોતે કરવું કે બીજા પાસે કરાવવું કલ્પ નહિ, જો કોઈ બીજો ભક્તિથી કરે, તો કહ્યું પણ છે. ર-૨૦૬ાા સિન પ્રશ્ન-૮]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy