SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે આ બધું વિચારીએ તો વસ્તુતઃ આત્મામાં જ એ સત છે. “આત્માને કૂટસ્થ સ્વરૂપે વર્ણવનારી કૃતિના કારણે આત્માને પરિણામી માનતા નથી.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે તેવી આત્માની અવસ્થા; શરીરનો ભેદ થયા પછી અર્થા અશરીરી બન્યા પછી પ્રાપ્ત થતી હોય છે. તે અપેક્ષાએ શ્રુતિ દ્વારા આત્માની કૂટસ્થતા વર્ણવી છે. તેથી સંસારદશામાં આત્માની એ અવસ્થા ન હોવા છતાં કૃતિનો વિરોધ નહીં આવે.. ઈત્યાદિ સારી રીતે વિચારીને તેનો નિર્ણય કરવો જોઈએ. _I/૧૧-૨૨ા દૂષણાંતર જણાવાય છેबुद्ध्या सर्वोपपत्तौ च, मानमात्मनि मृग्यते । संहत्यकारिता मानं, पारार्थ्यनियता च न ॥११-२३॥ આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી માની લેવાથી કોઈ દોષ આવતો નથી. આમ છતાં ખરેખર તો બુદ્ધિને માન્યા પછી આત્મા-પુરુષને માનવાની જ આવશ્યક્તા નથી. તે જણાવીને આ શ્લોકથી પુરુષની કલ્પનામાં જણાવેલા પ્રમાણનું નિરાકરણ કરાયા છે. “બુદ્ધિથી જ લોકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર સત થતો હોય ત્યારે આત્માની કલ્પના માટે પ્રમાણ શોધવું પડે એવું
SR No.023216
Book TitlePatanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy