SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણે વિયેાગ. ( ૭૪૧ ) ણાથી વનમાં વનચર થઇ ભમું છું. મારી એ ધારણા તે આ વખતે નિષ્ફળ થઈ છે. મારા જવા પછી દ્વારકાની શી સ્થિતિ થઇ ? તે મને જણાવેા. આપણા પૂજ્ય વડિલા કુશળ છે કે નહીં ? કૃષ્ણે મંદ સ્વરે કહ્યું, “ બંધુ જરાકુમાર ! ભગવાન “ નેમિપ્રભુએ દ્વારક!ના દાહની વાત કહ્યા પછી સર્વ પુરવાસીએએ મદિરાના ત્યાગ કરી દીધા હતા. એવી રીતે છ માસ વીત્યા પછી કદ અવનના રક્ષક માળી આવી કહેવા લાગ્યા કે, દેવ! માપની આજ્ઞાથી ક’અવનનીમંદિરાના ત્યાગ કરવામાં આન્યા છે, તે છતાં કોઇ એક પુરૂષ આવી તેમાંથી મદિરા લઇ ગયા અને તેણે દ્વારકામાં આવી શાંખકુમારને તેના નજરાણા કર્યો. જેથી શાંખકુમાર લલચાઈને બીજા કુમારેાની સાથે તે કદ અવનમાં આવ્યા હતા અને તેમણે યથેચ્છ પ્રકારે મલપ્રાશન કર્યું. પછી મદિરાથી ઉન્મત્ત થઇ એકાંત સ્થળે તપસ્યા કરતા એવા દ્વૈપાયનને ખીજન્યેા છે, જેથી દ્વૈપાયનમુનિ કેપ કરીને દ્વારકાનું દહન કરવા આવ્યા છે, મે તેને નજરે જોયા છે, તેથી હું આપને ખખર કરવા આવ્યે છું ” માળીનાં આવાં વચન સાંભળી હું ખળરામને લઇ તે મુનિના ક્રોધને શાંત કરવા તેની પાસે વનમાં ગયા હતા. મેં તે ક્રોધી મુનિને નમ્રતાથી સાંત્વન કરવા માંડયા, પણ તે કાષ્ઠ રીતે શાંત થયા નહીં અને તેણે કહ્યું કે, “ હે કૃષ્ણ ! તું અને ખળરામ શિવાય દ્વારકાના સર્વ લેાકેાના નાશ થઇ જશે. ” પછી મે તેને સાંત્વન કરવા પ્રયત્ન કરવા માંડયા. પણ અમારા એ સર્વ પ્રયત્ન નિષ્ફળ થયા પછી અમે દ્વારકામાં આવી લેાકેાની
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy