SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મહાભારત. ( ૧૫૪ ) આ તરફ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પકડવાને શકટબ્યૂ હમાં યુક્તિથી યુધ્ધ કરતા હતા. તેમણે સમુદ્રને જેમ મંદરાચળ મથન કરે, તેમ પાંડવસેનાનું ભારે મથન કરવા માંડયું. આથી પાંડવસૈનિકેામાં મેટા કાલાહલ થઇ રહ્યો હતા. 99. શકટવ્યૂહમાં આવેલા સાત્યકીનુ મસ્તક છેદવાને ભૂરિ શ્રવાના હાથ સજ્જ થયા, તે વખતે કૃષ્ણે અર્જુનને કહ્યુ – મનુ ન! જો આ સાત્યકી તારે માટે મરે છે, માટે એક ખાશુથી ભૂરિશ્રવાના હાથ કાપી નાંખ અને તેને બચાવી લે. આ પ્રમાણે કૃષ્ણ ખેલતા હતા, તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર આવવા લાગ્યા. આ વખતે અર્જુનની પ્રતિજ્ઞા યાદ કરી કારવા ખુશી થવા લાગ્યા. જયદ્રથ મર્યા નથી, તેથી અર્જુનને અદેશમાં પ્રવેશ કરવા પડશે” આવુ વિચારતાં કારવાના હૃદયમાં અતિ આનદ થઈ આવ્યા. આ વખતે પાંડવા ભારે ચિંતાતુર થઈ ગયા. અર્જુનની ઘેાર પ્રતિજ્ઞા યાદ કરી તે ચિંતાગ્નિથી દુગ્ધ થવા લાગ્યા. શ્રીકૃષ્ણુના કહેવાથી અર્જુને ભૂરિશ્રવાના દક્ષિણ કર કાપી નાંખ્યા અને તેથી તે અર્જુનની નિંદા કરતા પેાતાના રથ પાછા ફેરવી ચાલતા થયા. તેવામાં તેણે વિચાર્યું કે, હુવે આ આત્માના નાશ કરવા ચેાગ્ય છે.” આવુ વિચારી તે પેતાના પ્રાણવાયુને ચાંગાભ્યાસે બ્રહ્મદ્વારાએ કરી નાશ કરવાની ઈચ્છા કરતા હતા, તેવામાં સાત્યકીએ આવી તેને સ્વેચ્છાથી વધ કરી નાંખ્યા.
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy