SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધ-ચાલુ. (૬૪૭) યુધિષ્ઠિરના રક્ષણ માટે નિયુક્ત કરી પોતે સશક્ષક વગેરે રાજાઓની સાથે યુધ્ધ કરવા કુરૂક્ષેત્રની બહાર ગયા હતા. સૂર્ય ના કિરણા જેમ દિશામડળને આચ્છાદન કરે તેમ દ્રોણાચાય ના આણ્ણા પાંડવાની સેનાને આચ્છાદન કરવા લાગ્યા. દ્રોણાચાર્ય ની સાથે ભગદત્ત રાજા સુપ્રતીક નામના હાથી - પર ચડી પાછળ રહી મહાન યુધ્ધ કરતા હતા. તેના સુપ્રતીક નામના હાથીની ગર્જનાથી સૈન્યના અવા પૃથ્વી ઉપર પડતા હતા. તે મહાન મદોન્મત્ત સુપ્રતીક હાથીના ભયથી બીજા હાથીએ ચિત્કાર શબ્દ કરી નાસતા હતા. ભગદત્ત રાજાની સુપ્રતીક હાથીના મનથી પાંડવાની સેનાના આક્રંદ શબ્દ દૂરથી અર્જુનના સાંભળવામાં આવ્યેા. એટલે અર્જુન મારતા બાકી રહેલા સુશસક રાજાઓને છેડી કાંધ થઇ ભગ૪ત્તની સામે યુધ્ધ કરવા દોડી આવ્યા. અર્જુનને જોઇ ભગદત્તે પોતાના સુપ્રતીક હાથી તેની તરફ પ્રેર્યા. પછી વીર અર્જુને ક્રોધથી એવું આણુ છેડયુ કે, તેના પ્રહારથી સુપ્રતીકની સુ ઢના બે ભાગ થઈ ગયા. પછી ભગદત્ત રાષથી તે ઘાયલ ગજેદ્રને અર્જુનની ઉપર હુંકાર્યા. ભગદત્તનું આવું અનુપમ શોર્ય જોઇ આકાશમાંથી તેની ઉપર પુષ્પવૃષ્ટિ પડવા લાગી. તે પુષ્પવૃષ્ટિ પડતાં પહેલાં તેા અર્જુનના ખાણેાની વૃષ્ટિ તેની ઉપર શરૂ થઇ ગઇ. તે માણવૃષ્ટિએ સુપ્રતીક ગજના પ્રાણની સાથે ભગદત્તના પ્રાણ પણ ડુરી લીધા હતા. ભગદત્તના મરણથી કારવસેનામાં હાહાકાર થઈ ગયા
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy