________________
(૨૪૮ )
જૈન મહાભારત.
અને તે વખતે સૂર્ય પણ અસ્તાચળ તરફ વળી ગયા. સૂર્યાસ્ત થતાંજ અને સેનામાં યુદ્ધનો નિરોધ કરવામાં આવ્યે અને સર્વે પાતપાતાની છાવણીમાં ચાલ્યા ગયા હતા.
""
',
આ રાત્રે પાંડવાના એક બાતમીદારે આવી ખખર આપ્યા કે, “ભગદત્તના વધથી ક્રોધાયમાન થયેલા દ્રોણાચાર્ય ધ રાજાને પકડવા માટે આવતી કાલે ચક્રવ્યૂહની રચના કરવાના છે. આવા ગુપ્ત ખબર સાંભળી પાંડવવીરા પેાતાની સભા ભરી વિચાર કરવા બેઠા કે, “ આપણામાં ચક્રવ્યૂહના ભેદ કેાણ કરી શકશે ? ” આ વખતે અર્જુનનો પુત્ર અભિમળ્યું એલ્યે પૂજ્ય પિતાએ ! પૂર્વે જ્યારે તમે હસ્તિનાપુરથી વનવાસ કરવા નીકળી પડયા, ત્યારે હું દ્વારકામાં રહ્યો હતા. તે વખતે મે તે સ્થળે “ચક્રવ્યૂહમાં કેવીરીતે પ્રવેશ કરવા ” એ વાત સારી રીતે સાંભળી હતી, પરંતુ “ ચક્રવ્યૂહની બહાર કેવી રીતે નીકળવું ? એ મારા સાંભળવામાં આવ્યું નથી. ”
"9
'
-
આ વખતે ભીમસેન બોલ્યેા— “ રાજકુમાર રાજકુમાર અભિમન્યુ ! ચક્રવ્યૂહની બહાર કેવી રીતે પડવું ? ” એ શંકા તું રાખીશ નહીં. પ્રાત:કાળે તારા પિતા અર્જુન જ્યારે સશસકાને લઇને બીજે ઠેકાણે જશે, ત્યારે અમે ચારે ભાઈઓ ચવ્યૂહને ઠેકાણે રહેનારા કારવાને બળાત્કારે ભેદી ચક્રવ્યૂહમાંથી બહાર પડવા તને માર્ગી કરી આપીશું. ” આહ્વા નિશ્ચય કરી પાંડવા અને સર્વ સભાસદો પાતપેાતાને આવાસે શયન કરવાને ચાલ્યા ગયા હતા.