SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્ટ ઇરાદાનું દુષ્ટ ફળ: (૫૪૭) ત્યારે તું તેનું કહેવું માન્ય કરજે. કારણ કે મસ્ત્યને મારવાની ઈચ્છાવાળાએ તેને પકડવાના કાંટા ઉપર પ્રથમ માંસ નાખવું જોઇએ. તે કીચકનું વચન માન્ય કરી મધ્યરાત્રે અજુ નની નાટ્યશાળામાં કીચકની સાથે ક્રીડા કરવાના સ કેત કરજે,હું પ્રથમથી તારા વેષ પહેરી ત્યાં જઇને બેસીશ અને જ્યારે એ આવશે એટલે દંઢ આલિ’ગન કરવાના મિષ કરી તેના પ્રાણને હરી લઈશ.” વાવનામધારી ભીમસેનનાં આવાં વચન સાંભળી દ્રોપદી પ્રસન્ન થઈ પેાતાના સ્થાન પ્રત્યે ચાલી ગઇ. બીજે દિવસે સૈર શ્રી સુંદર વેષ ધારણ કરી વિરાટપતિના ભાગમાં આવેલા એક સુંદર સરાવરના દરવાજા આગળ ઉભી રહી. આ વખતે કામી કીચક તે માગે પ્રસાર થતા હતા. તેણે સાંઢ થી સુશાભિત એવી સરપ્રીને તે સ્થળે અવલેાકી. તેને જોતાંજ કીચક સ્ત ંભિત થઈ ગયા. જાણે સતીના અવલેાકનથી થયેલા પાપે તેને ઘેરી લીધેા હાય, તેમ તે દેખાવા લાગ્યા. તેના અંગમાં કામવિકાર પ્રગટ થઈ આવ્યેા. તેના અગમાં પસીના આવી ગયા. અને રોમાંચ પ્રગટ થઇ આવ્યાં. દ્રોપદી પણ હાવભાવથી તેની સામુ જોવા લાગી. દ્રોપદીની માનસિક ઇચ્છા દેખાવાથી કીચક ખુશી થયા અને તેની પાસે આવી દીનતાથી આ પ્રમાણે એલ્યા—“ સુંદરી, તારા. હૃદયના ભાવ જાણી હું' પ્રસન્ન થયા છું. હવે કૃપા કરી મારી પ્રાર્થનાના અંગીકાર કર. ” દ્રોપદીએ મધુર સ્વરે કહ્યુ, “ આજે મધ્યરાત્રે હું નાટ્યશાળામાં આવીને રહીશ. તમે તેજ સમયે ત્યાં જરૂર આવજો. ” દ્રોપદીની આ વાણી તેને .
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy