SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મારાધને પ્રભાવ. ન (પર૭ } થઈ પિતાના ચાર બંધુઓની જોડે પૃથ્વી પર પડી ગયે. આ વખતને દેખાવ જેવાને આકાશમાં દેવતાઓ એકત્ર થઈ ઉભા હતા. અને વનનાં પશુપક્ષીઓ જાણે પાંડની સ્થિતિને શેક કરતાં હોય તેમ પિતાને ચારે ત્યજી દઈ તેમની આસપાસ સ્તબ્ધ થઈને ઉભા રહ્યા હતા. કેટલીક વાર થયા પછી પાંડ મૂછ રહિત થયા, તેઓ બેઠા થઈને જુવે છે, ત્યાં પવિત્રહદયા દ્રપદી રત્નમાળા સહિત કમલના પત્રના દડીયામાં જળ ભરી તેની ઉપર સિંચન કરતી તેમના જેવામાં આવી. તેની પાસે કુંતી ઉભી રહી પોતાના વસ્ત્રના પલ્લવથી તેમને વાયુ ઢળતી હતી અને પિતાના નેત્રમાંથી અશ્રુધારા વષવતી હતી. પછી જ્યારે પાંડ પૃથ્વી ઉપરથી બેઠા થયા, એટલે હર્ષિત થયેલી કુંતીએ તેમના શરીર ઉપરથી રજ ખંખેરી નાંખી. પાંડ એ સર્વ દિશા તરફ જેવા માંડયું પણ કઈ બીજે પુરૂષ જે નહી, એટલે તેમણે દ્વિપદીને પુછયું, “પ્રિયા, તારું હરણ કરનાર પાપિશિરોમણિ તે પુરૂષ કયાં ગયે? અને તું આ કમળપત્રના દડીયામાં રત્નમાળા નાંખી તેના જળથી અમને સિંચન કેમ કરે છે?” દ્રોપદી સંભ્રાંત થઈને બોલી સ્વામીનાથ, તમે જ્યારે પાણી પીવાને અહિં આવ્યા, તે સમયે મેં મને હરનાર પુરૂષને કે સેનાને જોઈ નહીં. તે કે હતું અને શું થયું? તેના પણ મને ખબર પડી નહીં. વનમાં હું એકલી દેખાવા લાગી. વનનાં ભયંકર પ્રાણુઓના શબ્દ મારા સાંભળવામાં આવવા લાગ્યા. પછી હું ભયભીત થઈને
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy