SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૨૬) જૈન મહાભારત. કેમ થઈ? તલતાલવ જેવા પ્રચંડ શત્રુઓને મૃત્યુની સાથે આલિંગન કરાવનાર તારા ગાંડીવ ધનુષ્યને તે કેમ ત્યાગ કર્યો? વહાલા ભાઈ! શત્રુઓની ઉપર પરાક્રમ કરવાનું વિસરી જઈ તું આમ કેમ સૂતા છે? વ્હાલા બંધુઓ, આપણી પ્રાણ પ્રિયાનું કોઈ શત્રુઓ હરણ કર્યું છે, તેની પાસેથી તેને છોડાવ્યા વગર તમને ઘેર નિદ્રા કેમ આવી છે? હવે આપણું બાર વર્ષની આપત્તિ પૂર્ણ થવા આવી છે. મેટા સમુદ્રને તરી હવે ગેમ્પંદમાં કેમ બુડે છે? હે વત્સ નકુળ અને સહદેવ, તમારી આ દશા જોઈ મારૂં હદય વિદીર્ણ થઈ જાય છે. વનવાસની અવધિ પૂર્ણ થતાં જ્યારે હું નગરીમાં જઈશ, ત્યારે માદ્રી માતાને શો ઉત્તર આપીશ?” આ પ્રમાણે યુધિષ્ઠિર વિલાપ કરતું હતું, ત્યાં એકાએક કેઈએક ભિન્ન આવ્યું અને તેણે યુધિષ્ઠિરને કહ્યું, “અરે કાયર પુરૂષ, આ તારા બંધુઓને વિલાપ કરતે અહિં બેઠે છે, પણ તારી પ્રિયાની તે સંભાળ લે? તેને કઈ પુરૂષ તેના વસ્ત્ર ઉતારીને ચાબુકના ઘા કરે છે, અને તે બિચારી પ્રાણનાથ, પ્રાણનાથ” એમ પિકાર કરે છે. આ તારા બંધુએ તે આ સંરેવરના શીતળ પવનના સ્પર્શથી બેઠા થશે, પણ તે બીચારી અબળાની રક્ષા કરવા જા. સ્ત્રીનું રક્ષણ ન કરવું, એ પુરૂષને મોટું કલંક છે.” તે ભિલ્લનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિર પિતાની તૃષા શાંત કરવાને સરેવરમાંથી જળનું પાન કરી તે સ્થળે ઉતાવળે જતા હતા, તેવામાં તે અકસ્માત મૂર્થિત
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy