SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ કમળનું કુલ (૪૫) નાગે, “આ પાંડ પુત્ર છે” એમ જાણશે તો તેમને અતિ સત્કાર કરશે.” માતા કુંતી, આ પ્રમાણે મારા સ્વામી ઈદ્રની આજ્ઞા થવાથી હું પાતાળમાં નાગેન્દ્રના સ્થાનમાં ગયા. તે વખતે દઢ નાગપાશથી બંધાએલા લજિત થઈ અધમુખ કરી બેઠેલા અને શેકાથુથો નેત્ર ભરતા તમારા પુત્રે મારા જેવામાં આવ્યા. તે સમયે નાગરક્ષકોએ નાગરાજને કહ્યું કે, “દેવ, આ કેાઈ મનુષ્યએ આપણા સરેવરનું મથન કરેલું છે. તેમણે પાડાની જેમ સરોવરનું જળ ડાળી નાંખી ઘણુ કમળપુપને મૂળથી ઉખેડી નાંખ્યા છે.” રક્ષકાની આ પ્રાર્થના સાંભળી નાગેન્દ્ર પાંડેની સામે જોયું. તેમને જોતાં જ તે સ્તબ્ધ થઈ ગયો અને તે મનમાં વિચાર કરવા લાગ્યું કે, આવા બળવાન પુરૂષ કોણ હશે?” આ વખતે હું લાગ જોઈને બેલ્ય–“નાગે, તમે આ પુરૂષોને માટે કાંઈ વિચાર કરશે નહી. ત્રણે લોકમાં જેમની કીર્તિ પ્રખ્યાત છે, તે આ પાંડે છે. તેમાંથી કોઈએ તમારો અપરાધ કર્યો નથી, એવું જાણી અમારા સ્વામી ઈકે તેમને બંધનમુક્ત કરવા માટે તમારી પાસે મને મેક છે. આ તમારા સેવકોએ દુષ્ટબુદ્ધિથી માત્ર જળક્રીડા કરનારા આ આયુધરહિત પાંડવોને કપટથી બાંધી લીધા છે. આ પરાક્રમી પાંડને માટે એગ્ય કર્તવ્ય શું છે? એ કર્તવ્ય તમે પોતે જાણે છે.” મારા આ વચન સાંભળી સંતુષ્ટ થયેલા ના જૈ તરત તમારા
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy