SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે માતાપિતા *તમારા અભયદાન અને વિતદાન. (૪૧૭ } ધર્મ છે કે, પોતાના પ્રાણ ત્યાગ કરી પતિના પ્રાણની રક્ષા કરવી. સ્વામીનાથ, તમારી સાથે રહી મેં સારા સારા પદાર્થો ભક્ષણ કર્યા. સારા સુખવિલાસ ભોગવ્યા, અને આ. પુત્ર તથા પુત્રીના મુખ જોયાં. હવે મારે કોઈ સુખની ઈચ્છા. નથી; તે મૃત્યુને ભય શા માટે હોય ? હે નાથ, તમે આનંદમાં રહી આ પુત્ર પુત્રીની રક્ષા કરે અને મને સૌભાગ્ય સાથે મૃત્યુ પામવા દે.” દેવશર્મા આ પ્રમાણે કુંતીને કહેતા હતા, તે સાંભળી તેની પુત્રી ગંગા બોલી ઉઠી–“હે માતાપિતા, તમે બંને આરોગ્ય રહે. હું તે રાક્ષસના મુખમાં જાઉં છું. તમારા. જીવવાથી આ મારો ભાઈ પણ ઉછરી જશે. આ મારી માતા. ક૯૫ સુધી જીવી તમારી સેવા કરશે. હું પુત્રી હોવાથી અંતે પારકી થાપણું છું. તમારે જયારે ત્યારે પણ મને બીજાને ઘેર મેકલવી પડશે. તે કરતાં કુટુંબના જીવનને માટે મારું મરણ થાય તે તે યુક્ત છે.” આ પ્રમાણે કહી ગંગા રૂદન કરવા લાગી. તેવામાં દામોદર બેલી ઉ–“પૂજ્ય માતાપિતા, અને બહેન, તમે કઈ રેશે નહીં. તે રાક્ષસને હું મારી નાંખીશ. અને આપણા કુટુંબને બચાવ કરીશ.” આ પ્રમાણે કહી તે ઉચે સ્વરે રોવા લાગ્યા. પિતાના બંને બાળકેનું રૂદન ઈ દેવશર્મા અને સાવિત્રી પણ રૂદન કરવા. લાગ્યાં. દેવશર્માના બધા કુટુંબ ઉપર મહાન શેકની મલિન ૨૭
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy