SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ રાધાવેધ. (૨૩૧), નું સ્થાન છે. આ પ્રસંગે તેણે ભારતના સર્વ નૃપતિઓને નેતર્યા છે. તેમાં ખાસ કરીને હસ્તિનાપુરપતિ પાંડુ રાજાની પાસે એક દૂત મેક હતું. અને તેને પાંચે પાંડે તથા રાજકુમારેની સાથે આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ ઉપરથી પ્રતાપિ પાંડુરાજા મેટા રસાલા સાથે હસ્તિનાપુરથી આવ્યા હતું. ભીષ્મ, ધૃતરાષ્ટ્ર વિગેરે વૃધ્ધો અને કુંતી તથા માદ્રી - ગેરે રાણુંઓને પાંડુરાજાએ પોતાની સાથે લીધાં હતાં. ધૃતરાછે પણ પિતાના સે પુત્રને અને સ્ત્રીઓને સાથે લીધી હતી. પાંડુની આ મોટી સ્વારી ગર્જના કરતા હાથી, ઘોડા, અને દ્ધાઓની સાથે ચાલતી જ્યારે કાંપિલ્યપુરની નજીક આવી ત્યારે પદ રાજાએ ઘણું ધામધુમથી તેનું સામૈયું કર્યું હતું. રસ્તામાં પણ જ્યાં જયાં એ સ્વારી આવતી, ત્યાં રહેલા ખંડીઆ રાજાઓ તેને ભારે સત્કાર કરતા હતા. અને ઉત્તમ પ્રકારની ભેટે અર્પણ કરતા હતા. જ્યારે પાંડુરાજા દ્રુપદ રાજાની રાજધાની કાંપિલ્યપુરની નજીક આવ્યા એટલે તેણે મોટા ઉત્સાહથી તેનું સામૈયું કરી પોતે સામે ગયા હતા, અને બંને રાજાઓ ઘણું પ્રેમથી ભેટ્યા હતા. આજે રાધાવેધના સ્વયંવરને દિવસ હત અનેક દેશના રાજાઓ આવી એ મહામંડપમાં હાજર થયા હતા. જ્યારે પાંડુરાજા પોતાના પાંચ પાંડને લઈ તે મંડપમાં આવ્યું, તે વખતે દિવ્ય પોશાકમાં દબદબા સાથે આવેલા પાંચે પાંડવેને જોઈ રાજા દ્રુપદને પોતે કરેલા રાધાવેધના પણને માટે
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy