SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કુમાર પરીક્ષા. (૨૧૩) તેમ રાધાવેધની કળાને લાભ થવાથી વીરઅન અતિ, તેજસ્વી દેખાવા લાગ્યા. આ પ્રમાણે અર્જુન અને બીજા રાજપુત્રાએ દ્રોણાચાર્ય પાસે જે કાંઈ અભ્યાસ કર્યો હતો, તેની જાહેર પરીક્ષા કરવાને આજે મંડપ બાંધવામાં આવ્યું હતું. રાજા પાંડુની આજ્ઞા થતાં ભીમ, વિદર, ધતરાષ્ટ્ર અને બીજા સભ્ય ગૃહસ્થ તે મંડપમાં આવવા લાગ્યા. તે મંડપની ખાત પૂજા ક્રિાણુચાયે કરાવી હતી. જ્યાં મંડપ કરવામાં આવ્યા હતા, તેની પાસે નજીકમાં જલાશયનો યોગ રાખ્યું હતું. મંડપની અંદર એક તરફ રાજકુમારને માટે બેઠક રાખવામાં આવી હતી. રાણીઓને બેસવાને ખાસ જુદી બેઠક બનાવી હતી. એક બાજુ બીજા રાજાઓને અને ગૃહસ્થ પ્રેક્ષકોને બેસવાની ગોઠવણ કરી હતી. મધ્ય ભાગે રાજાને બેસવા માટે ઉચું સુશોભિત સિંહાસન મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આમંત્રણ કરી કેટલાએક રાજાઓને, સામંતને અને પ્રજાના અગ્રેસને બોલાવવામાં આવ્યા હતા. હસ્તિનાપુરની સર્વ પ્રજા આ દબદબા ભરેલો દરબાર જેવાને ઉલટથી આવતી હતી. - જ્યારે નિયત કરેલ સમય થયે એટલે ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વગેરે વડિલેને સાથે લઈ પાંડુરાજા તે મંડપમાં આવી ઉચ્ચ આસને બેઠે. ગાંધારી, કુંતી અને સત્યવતી પ્રમુખ રાજમાતાઓ અને રાણુઓ પોતાના કુમારેનું પરા
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy