SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) જૈન મહાભારત. ઘણા દિવસ થયાં અમારે મેળાપ થયું નથી. જે તેમને મેળાપ તમે કરાવે તે હું ઘણો પ્રસન્ન થઈશ. તમે તેમના શિષ્ય છે, તેથી તેમને જોઈને પણ હું અતિ આનંદ પામ્યો છું.” - તે વૃદ્ધની આવી વાણું સાંભળી રાજપુત્રે હદયમાં પ્રસન્ન થયા. તે રાજપુત્રે તે વૃદ્ધને સાથે લઈને ચાલતા થયા. તે વખતે બધા રાજકુમારેમાં તે વૃદ્ધની દષ્ટિ અજુન ઉપર પડી. અર્જુનને તેના લક્ષણે ઉપરથી ધનુર્વેદને અધિકારી જે તે વૃધે અર્જુનને હાથ પકડ હતો. | સર્વ રાજપુત્રો તે વૃદ્ધને એક વિશાળ ગ્રહની પાસે લઈ ગયા. અંદર ગયા ત્યાં તેમાં રહેલ એક તેજસ્વી પુરૂષ તે વૃદ્ધને જોઈ આસન ઉપરથી ઉઠી સામે આવ્યું. તેણે અતિ સ્નેહથી તે વૃદ્ધને આદર-સત્કાર કર્યો. બંને પરસ્પર મળતાં તેમના નેત્રમાંથી આનંદના અશુ ખરી પડ્યાં. ગૃહપતિએ તે આવેલા વૃદ્ધના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યો. વૃધે તેને બેઠે કરી પ્રેમથી આલિંગન આપ્યું. પછી તે વૃદ્ધને સિંહાસન પર બેસારી તે –“મહાનુભાવ! આજે હું મારા આત્માને પૂર્ણ ભાગ્યશાળી માનું છું. કે જે આપ મારે ઘરે પધાર્યા. આપના ચરણેથી મારું ઘર પવિત્ર થયું છે. આ આખા બર્ષમાં આજના દિવસને હું ધન્ય સમજું છું, કે જે દિવસે સાક્ષાત્ સરસ્વતીને અવતાર આપ મારે ઘેર પણ આ વ્યા.” પછી તે વૃદ્ધની સાથે આવેલે તરૂણ પુરૂષ પેલા ગૃહપતિના ચરણમાં પડે. વૃધે તે પુરૂષની ઓળખાણ આપ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy