SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૪ ) જૈન મહાભારત. ખતે ધૃતરાષ્ટ્રે સની સમક્ષ દૈવજ્ઞાને પુછ્યું, “ હે નિમિત્તન વિદ્વાના! પૂર્વે આકાશવાણી થઇ છે, તે પ્રમાણે યુધિષ્ઠિર તે પૃથ્વીપતિ થશે, એ વાત નિ:સ ંદેહ છે; પરંતુ એના પછી મારા પુત્ર દુર્યોધન રાજ્યપદ પામશે કે નહીં ? તે કુપા કરી મને જણાવા. આ પ્રશ્નથતાંજ પૃથ્વી કપાયમાન થવા લાગી, આકાશથી તારાઓ ખરવા લાગ્યા, નિર્થાત શબ્દો પ્રગટ થવા લાગ્યા. શીયાળા અસગલિક શબ્દો કહાડવા લાગ્યા અને સૂર્ય મંડળ વાદળથી ઘેરાઇ ગયું. આવા અપશુકના થતાં જોઇ તે વિદ્વાન નિમિત્તિયાએ તે વાત સર્વાંની સમક્ષ કહી શકયા નહીં. પછી તેમણે છાની રીતે વિદુરને કહ્યું, “વિદુરજી ! આ પ્રશ્ન વખતે થએલા અશુભ દેખાવેાથી જણાય છે કે, ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન મોટા રાજા તા થશે અને બીજા સરાજાને વશ કરી લેશે. તથાપિ તે સ્વકુળના વિનાશ કરનારી થશે અને ખીજા સ્નેહીઓના ધાત કરનારા થશે.” જોષીઓના આ વચન પછી વિદુરજીએ ખુલ્લી રીતે કહ્યા, “ મ્હાટાભાઈ ! આ જોષીએ કહે છે કે, તમારા પુત્ર રાજા થશે એમાં સંશય નથી, પૃથ્વીના સમગ્ર રાજાએને છતી મહારાજાધિરાજપદ પામશે. પર’તુ આપણા કુળના તથા બીજા ઘણાં લેાકેાના વિધ્વંસ કરનારો થશે. ” વિદુરનાં આવાં ક કઠાર વચના સાંભળી પાતાના કુળની કુશળતા ઇચ્છનારા ધૃતરાષ્ટ્રે ફરીથી પુછ્યું, દૈવજ્ઞ પુરૂષા! એ અરિષ્ટની શાંતિ કેમ થાય ? અને અમારૂં કુલ સુરક્ષિત શાથી રહે ? તેના ઉપાય મને કહી સં
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy