SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૪૦૧ કવિ – કર્તા કહે છે કે – હે સજજને ! જુઓ, દિવસને અંતે સૂર્યની પણ આવી દશા થાય છે, તે બીજાની શી વાત કરવી ? અહો ! આસક્ત એવી સંસ્થા પણ ક્ષીણ થઈ અને રાત્રિ પ્રગટ થઈ, સૂર્ય તે પશ્ચિમ સમુદ્રમાં તદ્દન ડુબી ગયે, અને સરોવરોમાં પદ્મશ્રેણી સંકેચ પામી. કારણ કે તેજસ્વી મિત્રનો વિયોગ થતાં સર્વને દુઃખ થાય છે. આકાશમાં તારા પ્રગટ થયા અને સર્વત્ર અંધકાર પ્રસરી ગયે, એટલે તે બંને કુમાર રાત્રે તે આમ્રવૃક્ષની નીચે જ રહ્યા. એવામાં નાનભાઈ મેટાભાઈને પૂછવા લાગ્યો કે –“હે ભાઈ ! પિતાના રોષનું કારણ કાંઈ જણાયું નહિ”. અમરસેન બે કે –“હે વત્સ ! પિતાના રોષનું કારણ બરાબર તે મારા જાણવામાં નથી આવ્યું પણ મને લાગે કે આ ઓરમાન માતાની ચેષ્ટા હશે.” વયરસેન બેલ્યો કે તે શું અસત્ય વચનપર રાજાને વિશ્વાસ બેસાડી શકી હશે ?' એટલે ફરી અમરસેન બે કે –“હે વત્સ ! તું તે ભેળે છે; સ્ત્રી તે અસત્યનું મંદિર કહેવાય છે. તે અસત્ય પણ બેલે છતાં રાગાંધ પુરુષે તેના અસત્ય વચનને સત્ય સમજી લે, બુદ્ધિવંત જનો ગંગાની રેતીની ગણત્રી, સમુદ્રના જળનું પ્રમાણ અને મેરૂ પર્વતના તોલન (વજન)ને કદાચ જાણી શકે, પણ સ્ત્રીના કપટપ્રપંચને (સ્ત્રી ચરિત્રને) જાણી શકતા નથી. અહે! ઓરમાન માતાએ આપણું પર ઉપકાર કર્યો કે જેથી આપણે સમસ્ત પૃથ્વી જેઈ શકીશું. આ પ્રમાણે વાત કરતાં અમરસેનને નિદ્રા આવી ગઈ પણ વયરસેન બંને બાજુએ તપાસ કરતે જાગતે બેઠે. એવામાં આમ્રવૃક્ષપર
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy