SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બેઠેલ એક કૃપાળુ પિપટ પિતાની પ્રિયાને કહેવા લાગ્યો કે – હે પ્રિયે ! આ બંને પુરુષ યોગ્ય છે, એમને કંઈક સત્કાર કરીએ.” સ્ત્રી બોલી કે –“હે નાથ તમે ઠીક કહ્યું, સુફૂટપર્વતની ગાઢ ગુફામાં બીજાને પોતાની વિદ્યાથી અભિષિક્ત કરીને વિદ્યાધરોએ બે આમ્રવૃક્ષ રોપ્યા છે. આપણું સાંભળતાં તેમણે તે બંનેનું મહામ્ય કહ્યું હતું કે – એક વૃક્ષના ફળનું ભક્ષણ કરનારને સાતમે દિવસે રાજ્ય મળે અને બીજા આમ્રવૃક્ષનાં ફળનું બીજ જેના ઉદરમાં રહે, તેના મુખમાંથી સવારે દાતણ કરતાં પાંચસે સોનામહોર પડે. હે કાંત ! આ વચન તે તમે પણ સાંભળ્યું છે, માટે આપણે એક એક ફળ લાવીને આ બંનેને આપીએ. પરેપકાર કરવાથી અવતાર સફળ અને ક્લાધ્ય થાય છે. કહ્યું છે કે –“જે દિવસ પરોપકાર થાય, તે દિવસ સફળ (લાધ્ય) છે. અને બીજા દિવસ તે મૂઢપણાથી નિષ્ફળ ગયેલા છે. સૂર્યને માટે જ અંધકાર, મેઘને માટે જ ગ્રીષ્માશોષણ અને વૃક્ષને માટે જ માર્ગ શ્રમ સમજવામાં આવેલ છે. અર્થાત્ સૂર્ય, મેઘ અને વૃક્ષે તે અંધકાર વિગેરેને દૂર કરે છે, તેથી તેઓ પરોપકારી અને શ્રેષ્ઠ કહેવાય છે. વળી સરોવર કાંઈ જળપાન કરતું નથી, અને વૃક્ષે કાંઈ ફળ ભક્ષણ કરતાં નથી; દાતાર જનનું તે સર્વસ્વ પરોપકારને નિમિત્તે જ હોય છે. આ પ્રમાણે સાંભળીને પોપટે પોપટીને કહ્યું કે – હે કાંતે ! અત્યારે આ વાત તેં મને ઠીક યાદ કરી આપી.” એમ કહીને તે બંને તરત જ સુફૂટપર્વત પર ગયા. આ બધું વયરસેને સાંભળ્યું. પછી તે બંને પક્ષીઓએ પેલા પર્વતપરથી બે આંબાના ફળ લાવીને વયરસેનની આગળ મૂક્યા, એટલે તેમના વચનથી તે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy