SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અનંતકાયના મુખ્ય ભેદ છે. વળી લક્ષણ યુક્તિ કરીને બીજા પણ અનંતકાય જાણી લેવા. (માટુ) સિલ (૫) ધાવિશેષ, હવે એ બત્રીશ અનંતકાયની વ્યાખ્યા કહે છે –કંદની, સવ જાતિ અનંતકાય છે, તેમાં કેટલાક કંદ વપરાતા હેવાથી તે નામથી દર્શાવે છે. સૂરણકંદ–હરસને નાશ કરનાર કંદવિશેષ, વજકંદ, આદ્રક આદ્ર હરિદ્વા–તે લીલી હળદર, શંગબેર તે (આદુ), આદ્ર કલ્ચરક, શતાવરી અને બિરાલિકા–એ વલ્લી વિશેષ છે, કુમારી-તે માંસલ (પુ) પ્રણાલ આકારનું પત્ર (કુંવાર), થરી-તે વૃક્ષ, ગડુચી-તે વલ્લીવિશેષ, લસણ-કંદવિશેષ, વાંસકારેલા, ગજજર તે ગાજર, લવણિક-વનસ્પતિ વિશેષ-જેને બાળવાથી સજિજકા નિષ્પન્ન થાય છે, લોઢક-તે પશ્વિનીકંદ, ગિરિકર્ણિકા-તે વલ્લીવિશેષ, કિસલય પત્ર-તે પ્રૌઢ પત્રના પહેલા અંકુર ફુટે છે તે-બધા કેમળ પત્ર સમજવા, ખરિશુકા, થેગતે કદવિશેષ, આદ્રમુસ્તા (લીલી મેથી, લવણવૃક્ષછવિ-તે લવણ યા બ્રામરવૃક્ષની માત્ર છાલ–બીજા અવયવ નહિ, ખિલ્લોહડાલેકપ્રસિદ્ધ કંદ, અમૃતવલ્લી–લતાવિશેષ, મૂલક (મૂળા)–પ્રસિદ્ધ કંદ તે ત્યાજ્ય છે, અન્યશાસ્ત્રમાં કહ્યું છે કે-“લસણ, ગૃજન, પલાંડુ, પિંડમૂલ, મત્સ્ય, માંસ અને મદિરા–એ કરતાં પણ મૂલક અધિક પાપકારી છે, પુત્રમાંસ કરતાં પણ મૂળાનું ભક્ષણ વધારે ખરાબ છે. એનું ભક્ષણ કરવાથી નરક અને ત્યાગ કરવાથી સ્વર્ગ મળે છે, જે નરાધમ મૂળાની સાથે ભોજન કરે છે, તેની ચાંદ્રાયણશત (સેંકડે ચાંદ્રાયણવ્રત)થી પણ શુદ્ધિ થતી નથી.” ભૂમિરૂહ વર્ષાકાળમાં થનારા છત્રાકારે બીલાડીને
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy