________________
ચાર ગતિ.
( ૬૫) ડાહ્યો, કોમળ, સજનને સેવક અને માણસને ઉત્સાહ આપનાર હોય, તે મનુષ્ય ફરીને પણ આ સંસારમાં મનુષ્ય થાય છે. ૨૫. ये तु प्रकृत्याऽणुकषाययुक्ता दानप्रियाः संयमशीलशून्याः । गुणैर्युता मध्यममार्गभाजो बध्नन्ति जीवा मनुजायुरेते ॥ २६ ॥
ધર્મદુમ, ૫૦ ૪૨, ૦ ૩૧. (૪૦ સ.) જેઓ સ્વભાવથી જ અલ્પ કષાયવાળા હોય, દાન દેવામાં પ્રીતિવાળા હોય સંયમ અને શીયળ પાળતા ન હોય, ગુવડે યુક્ત હોય, અને મધ્યમ માર્ગને સેવતા હાય (સામાન્ય ધર્મ પાળતા હોય છે, આવા જીવો મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૨૬.
[[તિર્યવાતિ ] તિર્યંચગતિથી આવેલ – क्षुधालुता मानविहीनता च, भयातिरेकः प्रभविष्णुता च । मानापमाने समचित्तता च, तिर्यरंगतेरागतचिहमेतत् ॥२७॥
ઐવિવા, પૃ. ૨૮, ગો. ૨૦૧. ઘણી ભૂખ, માનરહિતપણું, ભયનું અધિપણું, પરાક્રમ તથા માન અને અપમાનમાં તુલ્યચિત્તપણું; આ સર્વ લક્ષણ તિર્યંચ ગતિમાંથી આવેલા પ્રાણીનાં હોય છે. ર૭. તિર્યંચગતિમાં જનાર –
मायालोभक्षुधाऽलस्यवहाहारादिचेष्टितैः । तिर्यग्योनिसमुत्पत्ति, ख्यापयत्यात्मनः पुमान् ॥२८॥
विवेकविलास, उल्लास ५, श्लो० २४.