________________
૧૪૭.
પ્રશસ્તિ આચાર્યવર્ય વિજયામૃતસૂરિરાયે,
શ્રી દેવસૂરિવર સેવન હેમચંદ્ર; સદ્ગૌરવોલસિત હૈ નિજબોધ અંગે,
પ્રદ્યુમ્ન નામ મુનિએ વિરચ્યું ઉમંગે. ૩. ચોરાણું ચાર શત બે સહસે સુવર્ષે,
શ્રી સિદ્ધશૈલ તણી સન્નિધિ પામી હર્ષે ચોમાસું યોગયુત સાધી વિશિષ્ટભાવે,
અભ્યાસ સાધન તણો પણ લાભ થાવ. ૪. નવ્વાણુંના વિશદ સંગ બન્યા અનેરા,
ટળે ભવતણા ભ્રમ ભવ્ય કેરા; હોજો વિવેક મનમાં શુભ એક અંતે,
આ ગ્રન્થથી વિમલભાવ વધો અનજો. ૫.