SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તે તે વીચિત મૃત્યુને મંજુર કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પિતાની પૌત્રી મનુબેનને કહ્યું હતું. જો હું કેઈ બિમારીથી મરી જાઉં અથવા કાયરની જેમ આદશેને એક બાજુએ મૂકીને મરી જાઉં તે તું સમજજે કે હું એક ઢંગી હતા, મહાત્મા નહોતે.” જે દિવસમાં આખલીમાં હિંદુ મુસલમાન વચ્ચે આપસ-આપસમાં યુદ્ધ થયું. તેનાથી મહાત્માજીનું દિલ સળગી ઉઠયું હતું. વર્ધાથી તેઓ તરત જ ને આખલીની સળગતી આગમાં ગયા. ત્યાં આગળ મૃત્યુને ભય તેમને પોતાના કર્તવ્યથી જરા પણ ડગાવી શક્યો નહિ. છેવટે સાંપ્રદાયિક્તાના શિકાર બન્યા. નાથુરામ ગોડસેએ ગાંધીજી જ્યારે પ્રાર્થના કરવા જતા હતા ત્યારે તેમના પર ત્રણ ગોળીઓ છોડી. મહાત્માજી ગભરાયા નહિ તેમજ ગેડસેને પણ તેમણે સારું છેટું કશું કહ્યું નહિ. ક્રોધ ન કરતાં શાંત ભાવથી અંતિમ વેળાએ તેમના મુખમાંથી “હે રામ' શબ્દને ઉચાર . ગાંધીજી માટે સારાયે દેશ ચિંતિત હતે. દેશના પ્રસિદ્ધ નેતાઓ તેમના રક્ષણ માટે પિલીસને પ્રબંધ કરતા હતા. પરંતુ ગાંધીજીને આ પસંદ નહોતું. આ બાબતમાં ગાંધીજીએ સાફ ઈન્કાર વ્યક્ત કર્યો. અને આમ કહ્યું. જેને અહિંસામાં સંપૂર્ણ શ્રદ્ધા છે તેને પોતાના રક્ષણ માટે કેઈની પણ આવશ્યક્તા નથી. આ પ્રકારના તેમના મૃત્યુને જગતનાં બધા રાષ્ટ્રએ “આદર્શ મૃત્યુ” તરીકે બિરદાવ્યું. પરંતુ શું તમને એમ લાગે છે કે મહાત્મા ગાંધીએ મૃત્યકલાની સાધના એક જ દિવસમાં કરી નાંખી હતી? ના, એ તે તેમની જીવનભરની સાધનાનું ફળ હતું. તેઓ તે મૃત્યુ માટે પહેલેથી જ તૈયાર હતા. પિતાના જીવનકાળમાં જ્યારે પણ તેમની સમક્ષ મૃત્યુનો પ્રસંગ આવે ત્યારે તેઓ ડર્યા નહિ. પિતાની જીવનભરની સાધનાથી જ તેમણે મૃત્યુ કલાને હસ્તગત કરી હતી. બિહારના ચંપારણ્ય જિલ્લામાં ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહ કર્યો ત્યારને પ્રસંગ છે. ચંપારણ્યમાં અંગ્રેજ લેકે ખેડૂતને ઘણું કષ્ટ આપતા હતા. જ્યારે ગાંધીજી દુઃખનિવારણ અર્થે ત્યાં પહોંચ્યા ત્યારે એક અંગ્રેજે પ્રતિજ્ઞા કરી હતી કે, જે ગાંધી અને એકાંતમાં મળી જાય તે હું તેને ગોળીએ દઈ દેવાને ! બાપુના કાને આ વાત આવી. મૃત્યુને ડર તે તેમને હતે જ કયાં? એટલે બીજા જ દિવસે વહેલી સવારમાં જ તે એ અંગ્રેજના આંગણે સામા ગયા ને કહેવા લાગ્યા. ભાઈ! તમે ગઈ કાલે ગાંધીને ગોળીએ દઈ દેવાની પ્રતિજ્ઞા કરી હતી ને? લે, હું જ એ ગાંધી. તમારી પ્રતિજ્ઞા પૂરી કરી લે. પેલે અંગ્રેજ તે એ ખિસિયાણે પડી ગયે કે બિચારે બેલે પણ શું? તે તે પાણી પાણી થઈ ગયે ને ગાંધીજીની ક્ષમા માંગવા લાગે. શા. ૮૭
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy