SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ મારે કહેવાનો આશય એ છે કે મૃત્યુંજયી વિરે મૃત્યુને હસતાં હસતાં સ્વીકારી લે છે. સિદ્ધાંતમાં સાધુઓ વિષે કહેવામાં આવ્યું છે કે “નીવિચાર મનમા વિષમુ.” તે જીવવાની પણ આશા ન રાખે તેમજ મૃત્યુના ભયથી પણ મુક્ત હેય. સાધુ તે જ્યારથી તે દીક્ષિત થાય છે ત્યારથી જ શિરપર કફન બાંધીને ચાલતે હેય છે. એટલે કે મોતને સાથે લઈને ફરતો હોય છે. મૃત્યુ સાથે મિત્રતા રાખતા હોય છે અને તેને જીવનની પણ આકાંક્ષા હોતી નથી. તેના માટે તે જીવન અને મરણ એક ખેલ છે. એ તે એમ સમજીને ચાલે છે કે જીવતા રહેવું એ આત્માને ધર્મ છે અને મરવું એ શરીરને ધર્મ છે. તે પિતાના આદર્શ માટે, સત્ય અને સિદ્ધાંત માટે જીતે રહેશે. જ્યારે તે જોશે કે હવે આ દેહથી સિદ્ધાંત પાલન થતું નથી. ચારિત્ર પાલન કરવામાં આ દેહ હવે સાધનભૂત બની શકે તેમ નથી ત્યારે તે અંતિમ સાધના એટલે કે સ્વેચ્છાએ સલેખના કરી લે છે. તેવા સાધક આત્માને તે જીવનમાં પણ આનંદ છે અને મૃત્યુમાં પણ આનંદ છે. ભગવાને કહ્યું છે “કવિ મળે તજીવનમાં અને મરણમાં બંનેમાં સમભાવ હેય છે. જેના જીવનમાં આ સંયમને રંગ હોય છે તે સાધુતામાં જ છે. આ રીતે જ ભૃગુ પુરેહિતને સંસારને આનંદ ઉડી ગયો છે અને આત્માનંદને પ્રકાશ જીવનમાં ખીલ્યું છે તેથી તે વૈરાગ્યના પંથે જવા તત્પર થયે છે. તેથી પિતાની પત્નીને કહે છે હે યશા? તું સંયમ માર્ગે જવાની આજ્ઞા આપ. હવે મારે આ સંસારમાં રહેવું નથી. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! સંયમ લે કંઈ રહેલ નથી. ત્યાં તમને બધું મનગમતું નહિ મળે. ત્યાં તે નિર્દોષ અને સૂઝત આહારની ગવેષણ કરવી પડશે. સંયમમાં લૂખા-સૂકા આહાર મળશે. ક્યારેક નહિ પણ મળે. તે વખતે તમે પસ્તાવે કરશે. તેના કરતાં આનંદથી મારી સાથે રહે અને ઈચ્છિત સુખે ભેગ. પણ જેને આત્માના સુખની અનુભૂતિ થઈ હોય તે સંસારમાં રાચે ખરે? સાધુને વિહારમાં આનંદ અને ગૌચરી કરતાં સમતારસનું પાન કરતે થકે આત્માને આનંદ અનુભવતા હોય છે સાધુ ગૌચરી કરતાં પણ કમ તેડે છે. નિર્દોષ આહાર ગ્રહણ કરનારે પોતે જે સુપાત્ર, હેય તે કલ્યાણ કરે પણ સાથે દાતારનું પણ કલ્યાણ થાય છે. દાતારને દાન દેતાં ઉત્કૃષ્ટ ભાવ આવે તે કમની ભેખડો તેડી નાંખે અને સુગતિ પ્રાપ્ત કરે છે. સાધુથી આમંત્રિત, ઉદ્દેશિક આહાર લેવાય નહિ. આધાકમી આહાર સંયમમાં કેટલું નુકશાન પહોંચાડે છે. એક કોઠાધિપતિને દિકરે ગ્રેજ્યુએટ થયેલે, પણ હળુકમી આત્મા હતા. એણે કેઈ સંતની વાણી સાંભળી વૈરાગ્યને રંગ લાગે. દીક્ષા લેવા તત્પર થયે. એ શ્રીમંતને છોકરે રીક્ષા લેવાને છે એ વાત સાંભળી ગામના લોકોને પણ ખૂબ આશ્ચર્ય થયું. અહે! આપણી પાસે તે એની સંપત્તિ આગળ કંઈ સંપત્તિ નથી. આટલું બધું સુખ છીને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy