SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કાન સાંભળશે નહિ, પેટલાદ એટલે પેટ-હોજરીમાં ખાધેલું પાચન નહિ થાય, ખંભાત એટલે ખંભા ખળભળી જશે અને પાવાપુરી એટલે પગ ઘુંજશે ત્યારે શું કરી શકવાના છે? માટે જ જ્ઞાની કહે છે “જ્યાં સુધી એક પણ ઈન્દ્રિયની હાની થઈ નથી ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે.” જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ મનુષ્યની પ્રકૃતિએ પણ ફરતી જાય છે. પત્ની બહાર જાય એટલે ડઓએ ખેલીને જુએ અને ખાવા માટે ફાંફા મારે, રખેને આવી જશે તે ખાવા નહિ દે. જેવું તેવું ચાવીને ઉતારી દે એટલે અપ થઈ જાય છે. માટે જ જ્ઞાની કહે છે– “મનુષ્ય જન્મ ચાલીસે મીડે, સાઠે કોય સાઠામાં પેઠે. સિત્તેરે સગો ન કઈ એંશીએ આશ ન હેઈ” આ સંસારમાં બધા ય સગાં સ્વાર્થનાં છે. જ્યાં સુધી મધપુડામાં મધ હોય છે ત્યાં સુધી માખીઓ એની આસપાસ આંટા મારે છે. તેમ જ્યાં સુધી ધન રૂપી મધ પાસે છે ત્યાં સુધી જ સહ સગા થવા આવે છે. આવા સ્વાર્થમય અને ક્ષણિક સંસારમાં રાચવા જેવું નથી. દેવભદ્ર અને જશોભદ્ર કહે છેઅમને મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. મૃત્યુ સાથે અમે મિત્રતા સાધી નથી, અને મૃત્યુ આવે ત્યારે ભાગી જવાની પણ અમારામાં તાકાત નથી. માટે આપ આજ્ઞા આપે. અમે સંયમ માર્ગે પ્રયાણ કરીએ. હજુ પુત્ર શું કહે છે. अज्जेव धम्म पडिवज्जयामो, जहिं पवन्ना न पुणब्भवामो । કળાયે નેવ ચ વિનિ, વિમેળે વિરૂજી રા . ઉ.અ. ૧૪-૨૮ હે પિતાજી! અમે આજે જ ધર્મને અંગીકાર કરીશું. જે ધર્મને ગ્રહણ કરવાથી ફરીને સંસારમાં જન્મ-મરણ કરવા પડતા નથી. તથા આપ અમને કામને માટે વરંવાર આમંત્રણ આપો છે, પણ વિચાર કરો કે, આ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે આ જીવને એની ક્યારે પણ પ્રાપ્તિ ન થઈ હોય ! કહેવાનો આશય એ છે કે આ આત્મા ઊંચ-નીચ અવસ્થાઓમાંથી અનેકવાર પસાર થયા છે. કયારેક રાજા બન્યું તે કયારેક રંક બન્યો, કયારેક મનુષ્ય બન્યું તે કયારેક તિર્યંચમાં ગયે. કયારેક દેવ તે કયારેક નારકી. કેઈ પણ અવસ્થા એવી નથી કે આ જીવે એક વાર અથવા અનેકવાર એને અનુભવ ન કર્યો હોય. કામોને તે અનેક વાર ઉપગ કર્યો છે. માટે હવે અમને કામાદિ રાગના ત્યાગમાં અને ધર્મને અંગીકાર કરવામાં જ રૂચી થાય છે, આનંદ આવે છે. માટે હવે તે અમે સંયમત્રત અંગીકાર કરીશું. દેવાનુપ્રિયે ! આત્મ સાધના કરવાને બે બાળકેને કે રંગ લાગે છે? તમને સંસારને રંગ લાગ્યો છે ને એમને સંયમને રંગ લાગ્યો છે. તમને એમ છે કે સંસારમાં બેઠા બેઠા મેશ મળે તે જોઈએ છે, પણ એમ સંસારમાં બેઠાં મેક્ષ છેડે મળે? શ. ૭૯
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy