SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ એક રાજા પૂબ ન્યાયી અને પ્રજામાલક હતું. પ્રજા પણ એને પૂરા પ્રેમથી ચાહતી હતી. આ સજાને એવી ધૂત જાણે કે મારે મેક્ષ જોઈએ છે. તેથી તેને રાજવૈભમાં સહેજ પણ આનંદ ન હતું, ખાવું-પીવું કંઈ જ ગમતું ન હતું. બસ, એક જ એના મનમાં રટણું હતું કે મોક્ષ કેવી રીતે મળે? અને આભ સ્વરૂપનું ભાન કેવી રીતે થાય? રાજ્યમાં રહેવા છતાં ઉદાસીન ભાવે રહેતે હતે. તમારે ધન જોઈએ છે અને એને ધર્મ ઈ હતે. એને સંત ગમતાં હતાં, તમને સંતાને ગમે છે. તમે સંસારના સુખને હે છે એ માસના સુખેને ચાહતે હતે. રાજાને સંપત્તિની ભૂખ ન હતી, સુંદરીઓના સીમાં પણ મુગ્ધ બનતે ન હતો. એને મન તે રજકણ કે અદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ છે....અપૂર્વ , એને મન વૈભવ અને માટી સમાન હતાં. આવા નિસ્પૃહી રાજા પ્રજાને શા માટે પડે? અને જે રાજા પ્રજાને કષ્ટ ન પહોંચાડે તેને પ્રજા પણ શા માટે ચાહે? આત્માનંદની વાતે જ ન્યારી છે. પુદ્ગલાનંદીઓને એને અનુભવ કયાંથી હોય? આ રાજા દરરોજ ધર્મસભા કરતે. જુદા જુદા તત્વજ્ઞાન અને ધર્મપ્રચારકોને લાવતે. અને સૌને એક જ પ્રશ્ન કરતો કે મને મોક્ષ કેવી રીતે મળે? મારે મોક્ષ જોઈએ છે. દરેક પિતપોતાની રીતે એનું સમાધાન કરતા. અને રાજા સાંભળે જતો હતો. આ વાતને વર્ષો વીતી ગયા પણ રાજાને મેક્ષ થયે નહિ. રાજાની ચિંતા વધવા માંડી. એ ચિંતામાં ને ચિંતામાં રાજા સુકાવા લાગે. એની ભૂખ લાગી ગઈ હતી અને ઉંઘ પણ ઉડી ગઈ હતી. એક ફકીરને ખબર પડી કે રાજાને મેક્ષ જોઈએ છે, પણ હજુ એને મોક્ષ મળ્યો નથી. એક દિવસ રાજા પિતાના મહેલની અગાશીમાં સૂવે છે. બરાબર બારને કે એ ફકીર બહારની સીડીએથી રાજમહેલની અગાશીમાં આવ્યું. બાર વાગ્યે પણ રાજા તે મોક્ષના વિચારમાં જાગતો જ પડયે હતે. માણસના પગને અવાજ સાંભળી રાજા એકદમ બેઠા થઈ ગયા અને મોટા અવાજે બૂમ પાડીને બોલ્યા-કેણ છે? ફકીરે જવાબ આપે. રાજન ! એ તો હું છું. મારું ઊંટ ખવાઈ ગયું છે તે શોધવા માટે હું અહીં આવ્યો છું. - ફકીરની વાત સાંભળી રાજાએ ખડખડાટ હસતાં કહ્યું. અરે મૂખ ! ઊંટ તે બહાર જંગલમાં ફરતું હોય. અહીં તે વળી ઊંટ હોય ખરું? અગાશીમાં ઊંટ ક્યાંથી જડે? ફકીર પણ હસીને કહે છે સાહેબ, હું મૂર્ખ નથી પણ જે અગાશીમાં ઊંટ ન હોય તે પછી રાજમહેલમાં બેઠા બેઠા મોક્ષ મળે ખરો? આ આપની મૂર્ખાઈ નથી તે બીજું શું છે! બંધુઓ! તે ઘડાને ચાબૂક બતાવવાની જ હેય. તેજીને ટકોરે ને ગધેડાને ડફણાં, રોજ ખાય ને રોજ ભૂલી રે જાય, . " દુર્જન મીઠું ખાય, મીઠું ના બોલો ? જેવી જેની જાત છે તેવી તેની ભાત છે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy