SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આ જીવ અનાદિ કાળથી પરાયા જ દેષા જીવે છે, પણ સ્વદોષને જોતા જ નથી. આમ ને આમ દિવસેા ગયા. મહિના ગયા, ને વષૅ ગયા અને જિંદગી પણ પૂર્ણ થશે, પણ જીવ અત્યાર સુધી ન સમજ્યા. જ્ઞાની કડે છે કે જાગ્યા ત્યારથી સવાર અને સમજ્યા ત્યારથી જન્મ. ભત્રની ગણત્રી સમકિત પામ્યા ત્યારથી જ થાય છે. બાકી તે રખડપટી જ છે. હવે જો સમજ્યા હૈ। તેા ચાનુર્માસના ચાર મહિના મેજ શેાખ ને એશઆરામ છેાડી કષાયેાને મંદ પાડવા એક કલાક વીરવાણીના લાભ લેવા નિર્ણય કરજો. પ્રભુ મહાવીરનું અંતિમ ચાતુર્માંસ પાવાપુરીમાં થયું. તે પાવાપુરી નગરી ધન ધાન્યથી સમૃદ્ધ અને પ્રશંસનીય હતી. આજે તે તે નગરી એ હાલ થઈ ગઈ છે. ત્યાંના માણસને ખાવાના પણ સાંસા છે. દર વર્ષે દેરા ાસી ભાઈ એ પ્રભુ મહા ા નિર્વાણુ દિન ઉજવવા ત્યાં જાય છે અને ફાળે કરીને તેમને અનાજ વહેંચે છે. જે રાજગૃહી નગરીમાં પ્રભુએ સૌથી વધુ ચાતુર્માસ કર્યાં તે નગરી પશુ શૂન્ય બની ગઈ છે, પણ પ્રભુ વિચરતા ત્યારે તે નગરીએ સમૃદ્ધ હતી. પાવાપુરીમાં અંતિમ સમયે સાળ પ્રહર સુધી પ્રભુએ અખંડ દેશના આપી, જેમાં વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યયન મૂળ સૂત્ર છે, જેના ૩૬ અધ્યયન છે. દરેક અધ્યયનમાં વિવિધ ભાવા ભરેલા છે. સૌથી પ્રથમ અધ્યયન વિનયનુ છે. કારણ કે “ વિનય એ ધનુ મૂળ છે.” વય ગમે તેટલી વધે પણ વિનય વિવેક વિનાની વયની કાંઈ કિં’મત નથી. જ્યાં સુધી વિનય નથી ત્યાં સુધી આત્માની ઉન્નતિ નથી. મકાન ગમે તેટલુ મેટું- દશમાળનું મનાવા પણ જો પાસે મજબૂત નડુિ હોય તે જમીનદાસ્ત બની જશે. તેમ સાધુ હાય કે સંસારી, પણ જો હાય અને ભાષામાં વિવેક ન હેાય તે તેનુ જીવન અંધકારમય વાવાઝોડુ થતાં મકાન સ્વભાવમાં કેમળતા ન છે. એક સાસુજી દિવાનખાનામાં સામાયિક લઈને બેઠા હતા. અને વહુ રસેાડામાં રસાઇ કરી રહી હતી. સાત શેર દૂધ ઉકાળવા સગડી પર મૂકેલુ, ઉભરે આવતાં વહુ સાળુસી લઈને દૂધનું તપેલુ' ઉતારવા જાય છે. પણ પકડ ઢીલી હાવાથી તપેલું ભોંય પડી જાય છે. તેના અવાજ થતાં સામાયિકમાં બેઠેલાં સાસુજી હાથમાં ગુચ્છા લઈને બહાર આવ્યાં. દૂધ ઢોળાઈ જવાથી વહુ ભયભીત ખની ગઈ છે. આંખમાં આંસુ છે. હાથપગ ધ્રુજે છે. જીવાની જતના કરનાર ગુચ્છા અને મેઢે મુહપત્તિ ખાંધી સમત - સાગામાં સ્નાન કરી રહેલ મારા સાસુજી મારા પર કેવી કરુણા કરશે તેને મનમાં ફાટ છે. વહુના મુખ ઉપરના ભાવા જોઈ સાસુજી સમજી ગયાં. ધીમે રહીને સાસુ કહે છે, બેટા ! શું થયું ? આમ જો છે! શા માટે ? આંખમાં આંસુ કેમ આવ્યા? આ શબ્દો સાંભળતાં વહુના ભય આછા થયા. કહે છે ખા ! દૂધનું તપેલુ ઉતારતાં સાસીમાંથી છટકી જવાથી બધું જ દૂધ ઢોળાઇ ગયું. સાસુ મીઠાસથી કહે છે કે દૂધ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy