SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી ક૫ત્રસ્ય બાલાવબોધ : नाग केतु परं, नाण लही उजलं, પામી શિવપત્ર, રાશ્વત ૪ અર્થ:--(કલ્પધર્મમહાતમ કે.) વલી આ કલ્પસૂત્રનું માહામ્ય ત્રીજા રસાયન એટલે ત્રીજા વૈદ્યની સરખું છે. એટલે જેમ ત્રીજે વૈદ્ય ઉપકારી થયો, તેમ આ કલ્પસૂત્ર પણે ઉપકારી જાણવું. વલી આ કલ્પસૂત્રને સાંભળવાથકી ઘણા ગુણ થાય છે. વલી ઘણું માંગલિકની વૃદ્ધિ કરે. વલી અઠમ તપ કરવાથકી નાગકેતુની પેરે ઉજલું કેવલજ્ઞાન પામિને શાશ્વતું એવું મોક્ષપદ પામિ. ૪ છે હવે એ શ્રી કલ્પસૂત્ર ત્રીજા વૈદ્ય સમાન છે, તે વૈદ્યની કથા કહે છે. કેઈએક રાજાને એક પુત્ર છે, તે અત્યંત વલ્લભ છે, તેથી રાજાર્યો વિચાર કર્યો કે જે આ પુત્રને રેગ આવ્યા પહેલાં જ એનું ઔષધ કરાવું, તો પછી કઈ વારે રેગજ ન આવે ! એમ વિચારી ત્રણ વૈદ્ય બોલાવ્યા, અને તેમને કહ્યું જે આ પુત્રનું ઔષધ કરવું છે ? તેવારેં પહેલે વૈદ્ય બે જે હે રાજન ! મહારી પાસે જે ઔષધ છે, તે એવું છે કે જે આપવા થકી રોગ હોય તો જાય, નહીકાં નવો રેગ પેદા કરે. તે સાંભલી રાજાયે કહ્યું જે તાહારૂ” ઔષધ તો સૂતે સિંહ જગાડવા જેવું છે, તેમાટે તાહારા એશડથી સર્યું. પછી બીજે વૈદ્ય બોલ્યો કે મારી પાસેંજે ઔષધ છે, તે ખવરાવ્યાથી રોગ હોય તો જાય, નહીકાં પણ નવો રેગ ઉપજે નહીં. તે સાંભળી રાજાયે કહ્યું જે રાખ માહે વૃત ઢહ્યું. તે શા કામમાં આવે ? તેમાટે તાહારે ઔષધે પણ સર્યું. પછી ત્રીજે વૈદ્ય છે કે મહારી પાસે
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy