________________
શ્રી અરિષ્ટનેમિ કુમાર આયુધ શાલામેં.
૨૪૯ પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપી. તિહાં શંખેશ્વર નામા તીર્થ થયો. હવે શ્રીકૃષ્ણ દ્વારિકાનગરિમેં નિ:કંટક છપન્ન કુલડિ યાદવ સહિત રાજ્ય કરે છે, અને જીર્ણદુર્ગે બહોત્તર કુલડિ યાદવ સહિત ઉગ્રસેન રાજા રાજ્ય કરે છે, પ્રદ્યુમ્નાદિક સાડા ત્રણ ક્રોડ કુમર, સમુદ્રવિંજયાદિ દશ દસાર, બલભદ્રાદિ પાંચ મોટા ધાર, સંબ આદિ શોલહજાર, દુર્દતકુમર, વીરનાદિક એકવીશ હજાર વીર, મહા સેનાદિક છપ્પન હજાર બલવંત દ્વારિકામાં વશે છે. એવા અવસર્વે શ્રીસમુદ્રવિજય કુલ સણગાર, શિવાદેવી માત મલ્હાર, એક દંડનેમિ બીજા દઢનેમિ ત્રીજા અતિનેમિ ચોથા અરિષ્ટનેમ અને પાંચમાં રહનેમિ એ પાંચ કુમાર મહેલા શ્રીઅરિષ્ટનેમિ કુમાર તે લઘુવય સરખા સરખી જોડી મનતણે કેડિ ઘણુ કુમારે પરવર્યા લીલામેં રમતા ભમતા શ્રીકૃષ્ણની આયુદ્ધ શાલાયે આવ્યા. આયુદ્ધ જેવા લાગી, તેવારે રક્ષપાલ છે. તમે લઘુ બાલક છે, માટે અલગ રહે એને સ્પર્શ કરે પણ દેહિલ છે, છોકરડે છાશ ન પીવાય, મોટું કાર્ય તે મહાટાથી જ થાય, તે ન સાંભલતાં શ્રીઅરિષ્ટનેમિ કુમારે પાંચજન્ય શંખ પૂર્યો, સારંગ ધનુષ ચઢા, કેમદકી યષ્ટિગદા તે તણખલાની પેરે ઉપાડીનાખી, એ રીતે શસ્ત્ર ગ્રહણ કર્યા પાપા संखपूर्यो जव शामले रे, तव थयो त्रिभुवन कंप॥ सो० ॥ शांकित हरि मनईं थयु रे, नलहें किहांहिं जंप ॥ सो० ॥ ६ ॥
અર્થ –હ જેવારે શામલે એટલે અરિષ્ટનેમિ ભગવાને પાંચજન્ય શંખ પૂર્યો તેવારે ત્રણ ભુવન કંપ્યા, પર્વતના શ્રેગ તૂટી તૂટીને પડવા લાગાં, સમુદ્રજવ ઉચ્છલતા હવા,