SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નિશાળ ગરણું. ૧૫૩ પેરે ચપલ થયા, તેવારે ઇંદ્ર મહારાજે અવવિધ પ્રયુ જીને જોયું અને જાણ્યું જે ભગવાન ભણવા જાય છે, એવું જોઈ વિચારવા લાગેા કે ભગવાનને શું ભણવું છે ? એ તેા ભણ્યા ગુણ્યા છે, સ્વયં’બુદ્ધ છે, આંબાને વિષે શ્યા તારણુ આંધવું ? અમૃતને વિષે શી મીઠાશ કરવી ? સરસ્વતીને જ્યે નિશાલગરણુ ? તેમ ભગવત તેા વિના અભ્યાસે પંડિતજ છે, તે એને ભણાવવાના નિરક ણ્યા ઉદ્યમ કરવા ? એમ ચિંતવી ઈંદ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રુપ ધારણ કરી, ઉપાધ્યાયને સમીપે એઠા અને કેટલાએક શાસ્ત્રાના પ્રશ્ન પ્રથમ ઉપાધ્યાયને પૂછ્યા. પરંતુ ઉપાધ્યાયથી તેના ખરાખર જવાબ ન અપાણા. તેવારે ઈદ્ર મહારાજ ભગવતને તેજ પૂછવા લાગે. તેના ઉત્તર ભગવંતે આપ્યા તથા વ્યાકરણ સબંધિ ઘણા સદેહકારી પ્રશ્ન પૂછ્યા, તેના પણ ઉત્તર ભગવંતે આપ્યા. તેવારે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગેા જે એ તેા મહારા મનના સદેહ છે તે હજી, કેાઈ પંડિતે ભાંગ્યા નથી, અને આ આલકે ભાંગ્યા એ આશ્ચર્ય જણાય છે? તેવારે વલી પહેલા વૃદ્ધ બ્રાહ્મણે, ભગવતને દશસૂત્રના અર્થ પૂછ્યા, તેનાં નામ કહે છે. સંજ્ઞાસૂત્ર, પરિભાષાસૂત્ર, વિધિસૂત્ર, નિયમસૂત્ર, પ્રતિજેધસૂત્ર, અધિકારસૂત્ર, અતિદેશસૂત્ર, અનુવાદસૂત્ર, વિભાષાસૂત્ર, નિપાતસૂત્ર, એ દૃશ સૂત્રના પૃથક્ પથક્ અર્થ પૂછ્યા, તેના પ્રભુયે' ઉત્તર આપ્યા. તે વખત ત્યાં જિને દ્રવ્યાકરણ પ્રગટ થયું. એ જોઈ ઉપાધ્યાય ચમત્કાર પામ્યા. ઈંદ્રે કહ્યું કે એને તમે ખાલક સમજશે! નહીં. એતા ત્રણ જ્ઞાને સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ, શ્રીમહાવીર દેવ છે. એવું સાંભલી
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy