SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ શતક ૨૫મું : ઉદ્દેશક-૩ હતું તે મિથ્યા હતા, પરંતુ હવે મને અસંખ્ય દ્વીપ અને સમુદ્રો સર્વથા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. સારાંશ કે અસંખ્યાત સમુદ્રોમાંથી હજી એક સમુદ્રને પણ આજના વૈજ્ઞાનિકો પાર કરી શક્યા નથી. એક દ્વીપમાંથી બીજા દ્વિીપમાં જઈ શક્યા નથી ભરતક્ષેત્રમાં જ રહેલા વૈતાઢ્ય પર્વતને પણ શોધી શક્યા નથી તે કેટલાય ક્ષેત્રે અને પર્વતે પછીથી આવનારા મેરુ પર્વતને શી રીતે જોઈ શકશે? મતલબ કે છદ્મસ્થાની શક્તિની બહારના પદાર્થો પણ અસંખ્યાતા છે. આવી સ્થિતિમાં જીવની ગતિ, આગતિ જે છઘને માટે સર્વથા અપ્રત્યક્ષ છે. તેનું જ્ઞાન મેળવવું તે શક્ય શી રીતે બનશે? માટે સંસારના ઘણું પદાર્થો જાણવાને માટે કેવળજ્ઞાનીના કેવળજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા રાખ્યા વિના બીજે માર્ગ નથી. છે એ દ્રામાં છે અને પુદ્ગલે જ ગતિશીલ પદાર્થો છે. તેમાંથી છની ગતિ સ્વાભાવિકી હોવા છતાં પણ કર્મ પ્રેરિત છે. અને પુદ્ગલેની ગતિ પરપ્રેરિત જ હોય છે. કારણ કે તે જડ છે. અહીં ગતિને અર્થ એક સ્થાનથી બીજા સ્થાનમાં અને એક ભવમાંથી બીજા ભવમાં જવું તે છે. મર્યા પછી તે જીવ ક્યાં ગયે? કેવી રીતે ગયો? કયા સાધનથી ગયો? આ બધાય પ્રશ્નોમાં બીજા દર્શને પ્રાયઃ મૌન રહ્યાં છે અથવા ન પ્રષ્ટચું ન પ્રષ્ટવ્ય કહીને વેગળા રહ્યાં છે ત્યારે જૈનશાસને બધાય પ્રશ્નોને શંકારહિત કર્યા છે. માટે જ “દાશાળી વિશા' બધાય શોમાં દ્વાદશાંગી શાસ્ત્ર જ વિશાલ, સ્પષ્ટ અને સર્વગ્રાહ્યા છે. ઉપરના પ્રશ્નોના જવાબ આપતાં ભગવાન મહાવીરસ્વામી એ ફરમાવ્યું કે હે ગૌતમ! તે છે જ્યારે ભવાંતર કરે છે ત્યારે તેમને આકાશની શ્રેણિઓનું અવલંબન સર્વથા અનિવાર્ય
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy