SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૪૧મું : ઉદ્દેશક-૨ પર૯ આ પ્રમાણેના કથનને વિધિવાકયો જાણવા. જે ભાગ્યશાળી આત્મા પાંચે પાપાનું વિરમણુ કરશે તેમનું કલ્યાણ થશે અને ભવ પરંપરાથી મુક્ત થવાના અવસર આવશે. નિષેધ એટલે.... (૧) તું પ્રાણાતિપાત પ્રાણાના અતિપાત કરીશ નહીં. (૨) તું મૃષાવાદી બનીશ નહીં. (૩) ચારે પ્રકારનુ' અદત્તાદાન ગ્રહણ કરીશ નહીં. (૪) આઠે પ્રકારના મૈથુનનું સેવન કરીશ નહીં. (૫) અને પરિગ્રહની માયામાં ફસાઈશ નહીં. સારાંશ કે તું યદિ પ્રાણાતિપાતાદિ કરીશ તે દુગ`તિના માલિક બનીશ, આ રીતે નિષેધમુખે વાત કરી છે. આત્માનું કલ્યાણ થાય, અને ભાવલબ્ધિના પરિપાક શીઘ્ર થાય, કાળલબ્ધિ ટૂંકી બને તે માટે વિધિવાકયોને વિધિરૂપે માનજે અને નિષેધ વાકયોને નિષેધરૂપે જ માનજે. એટલે કે જે લેાજનને, પાનને, રહેણીકરણીને, વ્યાપારને, વ્યવહારને તીર્થંકર પરમાત્માએ નિષેધ્યુ હાય તેને તુ પણ નિષેધ સમજીને ધીમે ધીમે છોડી દેવાના પ્રયત્ન કરજે અને વિધિરૂપે કહ્યું છે તેને સ્વીકારવા માટે એધ અને લેાકસંજ્ઞાના ત્યાગ કરીને જ્ઞાનસંજ્ઞાપૂર્વક પ્રયત્ન કરજે. આ રીતે વિધિ નિષેધ વાકયોમાં સ્યાદ્વાદના આશ્રય લેવાની ભૂલ કરીશ નહિ, અન્યથા જીવહિંસા પણ ધર્મ છે અને જીવહિંસાનું વિરમણુ પણ ધ છે. મૃષા વાદ ધમ છે અને સત્ય પણ ધર્મ છે. ઈત્યાદિ પ્રસગે ઉપ સ્થિત થતાં મતિજ્ઞાનમાં તફાન ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. માટે જીવન શુદ્ધિ માટે જે આચારસંહિતા ઘડાઈ હાય
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy