SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મૃત્યુ સમયે પણ સ્મૃતિમાં આવ્યા વિના રહેવાના નથી જે અસંયમ છે. કેળ કે આંબાના ઝાડ પાસે જ બાવળીયાનું ઝાડ અને તે પણ અમુક તરફ જ શા માટે? આવા પ્રયત્નો માનવની બુદ્ધિના નથી. પણ કઈ અદષ્ટ કારણ તેમાં રહેલું છે, તે શું હશે? મતિજ્ઞાનને કસવાથી જ ખબર પડશે કે, બાકીની નવે દિશાના પાંદડા બાધા રહિત હોય છે અને એક જ ભાગના પાંદડા શૂળથી વિંધાય છે અને તેમાં પણ જ્યારે જ્યારે તે પાંદડાઓના જીનું અસાતવેદનીય ઉદય આવે છે ત્યારે જ પવનને ઝપાટો આવે છે અને પાંદડા શૂળથી વિંધાય છે. આ બધી અને આના જેવી કેટલીય વાતોના કારણોને સૂક્ષ્મતાથી જાણવા હોય તે એક બીજાને એક બીજા જીવો સાથે પરસ્પરના નાણાનુંબંધમાં લેણદાર, દેવાદાર, ભઠ્યભક્ષક, ઘાત્ય-ઘાતક, સુખ-દુઃખ, તેમ જ રાગાત્મક કે દ્રષાત્મક સંબંધ સિવાય બીજું એકેય કારણ હોતું નથી, કેમકે–સંસારના સ્ટેજ પર એક જીવ ભક્ષ્ય બને છે, બીજે ભક્ષક બને છે. એક જીવ બીજા પાસેથી પુત્ર, પત્ની, માતા, જમાઈ કે પુત્રવધુ બનીને પણ પિતાનું લેવું ( કઈ ભવનું ઋણ) વસુલ કરે છે અને બીજે પોતાનું દેવું ચૂકવે છે. સંસારમાં આપણે જોઈ રહ્યાં છીએ કે પર્યુષણ, સંવત્સરી, આયંબીલની ઓળી, જ્ઞાન પંચમી કે દેવ ગુરુના વરઘડા જેવા ધાર્મિક અનુષ્ઠાનેને ખ્યાલ કર્યા વિના પણ તેમને તેટલા પ્રકારની ગધામજુરી કરીને પણ તથા પિતાના પુણ્યકર્મોનું દેવાળું કાઢીને પણ તેટલા પ્રમાણમાં પૈસે કમાવા જ પડશે, જે પિતાનું ઋણ ચૂકવવામાં પૂર્ણ થશે. એક જીવ બીજાને માર ખાય છે, ગાળો ખાય છે અને બીજે
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy