SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઇત્યાદિ કૃત્ય। સર્વથા નિંદનીય, દ'ડનીય ઢાવાથી તેવા પ્રકારના જીવા સમાજમાં નિંદિત, અપમાનિત અને તિરસ્કૃત નવા પામે છે અને ભવાંતરમાં પુરુષ તથા સ્ત્રીના શરીરથી હાથ ધોઇને નપુ ́સક શરીર પ્રાપ્ત કરે છે. ૪૯૨ ( ૬ ) સ્પર્શેન્દ્રિયની ગુલામી સ્વીકાર્યાં પછી તેવા પુરુષોની પાંચ જ્ઞાનેન્દ્રિય અને ઉપસ્થ ( સ્ત્રી પુરુષની ગુપ્તેન્દ્રિય ) તથા ગુદાકમેર્યાં પણ સથા કંટ્રાલ વિનાના બનવા પામે છે, તેવી સ્થિતિમાં તેવા જીવા પાસે અનંગ ક્રીડા અને વિષયવાસનાને તીવ્રાનુરાગ સિવાય બીજો એકેય અધ્યવસાય રહેતા નથી. અનંગ ક્રીડા એટલે માનવને કે સ્ત્રીને જ્યારે કામદેવને નશે મર્યાદાથી બહાર ચાલ્યા જાય છે, ત્યારે ભાગવિલાસના મુખ્ય અંગ સિવાય બીજા અંગા દ્વારા પણ પેાતાના નશાને સમાપ્ત કરે છે. જે વૃદ્ધાવસ્થામાં પણ આ ભયંકર કુટેવ છૂટવી સરળ નથી. આ પ્રમાણે યૌવનાવસ્થાને ખરબાદ કર્યાં પછી પોતાની વૃદ્ધાવસ્થાને પણ બરબાદ કરતા તે માનવ નિસ્તેજ, અશક્ત અને ઘણી જાતના રોગાનુ ઘર બનવા પામે છે અને દેવદુર્લભ મનુષ્યાવતારને બધી રીતે ખતમ કરીને આવતા ભવમાં નપુસકત્વ પ્રાપ્ત કરે છે. તીવ્રાનુરાગ એટલે પેાતાની ઉમર વૃદ્ધાવસ્થાના કિનારે આવીને ઉભી છે, ઘરમાં પુત્ર અને પુત્રવધુએ છે, વ્હેન એટીએ છે. તે પણ પેાતાની વિષયવાસનાને ભડકાવવા માટે જુદી જુદી જાતની શક્તિઓની દવા અને તે માટેના પૌષ્ટિક ખારાક ગોતવામાં ફાંફા મારતા હેાય છે, તેવા માનવાને પેપરા વાંચતા જરા જોશે। તે ખબર પડશે કે પેપરના પેઇજોમાં વીય વર્ધક, વીય સ્ત ંભક અને ખીજા પ્રકારની પણુ તાકાત મેળવવાની ઔષધિઓ જ તે ગેાતતા હૈાય છે. (ઇત્યલ' વિસ્તરણ )
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy