SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ શતક ૪૦મું : ઉત્પન્ન થશે અને તેમ થતાં જ માનવના ઘણું ઘણું પાપકર્મો રકાશે અને પુણ્યકર્મોની વૃદ્ધિ થશે. (2) મન-વચન અને કાયાના માંથી વકતા જશે અને અવક્રતાને પ્રવેશ થશે. જેન શાસને આ ત્રણેને યેગ તરીકે સંબોધ્યા છે, કારણ કે “ર્મા સહ યોનયતીત યો:” નવા કર્મો સાથે આત્માને જોડાવી આપે તે યુગ છે, માટે આ ત્રણેમાં અનાદિ કાળની રહેલી, વધેલી, વધારેલી વકતાના કારણે આત્માનું પ્રસ્થાન દુર્ગતિ તરફ રહ્યું છે, પરંતુ કષાયાની મંદતા જ્યારે વધે છે ત્યારે વેગમાં અવકતા ( સરળતા) આવતાં જ આત્માનું પ્રસ્થાન સદ્ગતિ તરફ આગળ વધે છે. (3) “Tળવનાશિની દૃષ્ય' આ ન્યાયે અધાર્મિક જીવનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. વધે છે અને માનવનું જીવન વૈરઝેરમય બને છે, પરંતુ કષાયની મંદતાના કારણે તે કાળી નાગણ કરતાં પણ ભૂંડી ઈર્ષ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. અને માનવ, શત્રુઓની વચ્ચે પણ શાંતિ અને સમાધિને મેળવે છે. (4) સત્યવાદિતા–એટલે સત્યભાષી, સત્ય વ્યવહારી આત્મામાં સમ્યક્ત્વના સ્પર્શને નિષેધ કેઈએ કર્યો નથી. છેવટે પરમાત્માના સ્વરૂપને જાણવા માટે મૌલિક કારણ જ સત્ય છે. આ સત્યવાદી આત્મા પાપમાગે કેવી રીતે જશે? કષાયેની તીવ્રતાના કારણે જીવનમાંથી સત્યધર્મ જાય છે અને અસત્ય આવે છે. માટે જૈન શાસને જૂઠ બેલનારમાં કોણ વા, છોટ્ટા વા મા વા ટ્રાના વા કોધ, લેભ, ભય અને હાસ્યની તીવ્રતાને સ્વીકારી છે, પરંતુ તે તીવ્રતાને મંદ કરવા જે સાધક સફળ બન્યું હશે તેના પાપકર્મો રેકાયા વિના અને પુણ્યકર્મો બંધાયા વિના રહેતા નથી.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy