SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ કારણે જ અનુભવી મહાપુરુષે કહે છે કે-મેટ્રીક, ગ્રેજ્યુએટ, રાજનૈતિક, શ્રીમંત છેવટે સંત-મહાસંત બનવું સરળ હાઈ શકે, પરંતુ પિતાના આન્તર જીવનને શુદ્ધ રાખવાની કળા હસ્તગત કરવી સરળ નથી જ કેમકે ઘણીવાર શારીરિક પ્રવૃતિઓ કરતાં માનસિક પ્રકૃતિએ જ્યારે ગંદી બનવા પામે છે ત્યારે જીવાત્માના અધ્યવસાયે માનસિક વિચારધારાઓ છેવટે ભાવ (સૂક્ષ્મ મન પણ અશુદ્ધ અશુદ્ધતર કે અશુભતમ બનવા પામે છે અને તેના દ્વારા બંધાતા કર્મો પણ અનિષ્ટ, કઠિન, ચીકણું અને ઘણા ભવમાં વેદના ભગવટામાં પરવશતા પ્રાપ્ત કરાવે તેવા બંધાશે. ઉપરના સૂત્રાનુસારે જ વિચારીએ – (1) ક્રોધ-માન-માયા અને લેભમાં મંદતા આવતાં જ માનવની આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસંજ્ઞા મર્યાદિત– સંયમિત બનશે. જેના કારણે ભેગ(એક જ વાર ભેગવવામાં આવે તેવા પદાર્થો) અને ઉપભેગ(એક જ વસ્તુ બીજીવાર પણ ભેગવવામાં આવે)ને ભેગવટામાં પણ નિલેપ, પાપભાવના રહિત, ઉદાસીન અને મમતા વિનાને થશે, ફળસ્વરૂપે વિકસિત વિચારસરણીના કારણે પરસ્ત્રી, વિધવા, વેશ્યા અને કુમારિકાના ત્યાગને જ ધર્મ તથા ધમ્ય કાર્ય સમજતાં પિતાની ધર્મપત્ની પ્રત્યે જ તેને રાગ રહેશે. મનુષ્ય જીવનમાં મેટામાં મોટું પાપ મૈથુન સંજ્ઞાથી ભડકાયેલું મૈથુનકર્મ જ છે, તે જ્યારે સંયમિત કે મર્યાદિત થશે અથવા તપ, ત્યાગ, સ્વાધ્યાય અને ઉન્નત વિચારથી મર્યાદિત કરવામાં આવશે ત્યારે પરસ્ત્રી આદિને રાગ ધીમે ધીમે ઓછો થતે જશે અને સ્વસ્ત્રીને રાગ, તેમાં પણ ધર્મે વ્યવહાર, સભ્ય ચેષ્ટા અને ગર્ભમાં રહેલા કે ૨-૩ વષે ગર્ભમાં આવનારા સંતાન પ્રત્યે ભાવદયા
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy